રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ચરમસીમા પર આવી ગયું છે.જેની વચ્ચે PM મોદીએ નેધરલેન્ડના PM સાથે ફોન પર વાત કરતાં જણાવ્યું કે, બંને દેશના નેતાઓએ વાતચીત કરવી જોઈએ
મોદીએ કહ્યું યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યાં છે
નેધરલેન્ડના પ્રધાનમંત્રીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
PM મોદીએ કહ્યું કે, દુશ્મનીને છોડીને વાતચીતનો રસ્તા પર આવવું પડશે
PM મોદીએ નેધરલેન્ડના PM સાથે વાતચીત કરી
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. હાલ સ્થિતી બદ થી બદતર તરફ જઈ રહી છે. જેની વચ્ચે PM મોદીએ હવે યુક્રેનના પ્રધાનમંત્રી માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીતમાં વર્તમાન સંકટ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે, દુશ્મનીને સમાપ્ત કરીને એક વાર ફરી વખત વાતચીતના રસ્તા પર આવવું પડશે. તેમની માનીએ તો રશિયા અને યુક્રેન વાતચીત માટે સાથે આવવું એક સ્વાગત ભર્યો નિર્ણય છે.અને આના લીધો જલ્દીથી કોઈ સમાધાન નિકાળી શકાશે. તેની સાથે PM મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો અને તેમને રેસ્ક્યુને લઈને નેધરલેન્ડના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
PM મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના રેસ્ક્યુને લઈને ચર્ચા કરી
તેમણે જણાવ્યું કે, ભારત તરફથી યુક્રેનમાં મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. તેમજ પીડિત લોકોની મદદ પણ કરવામાં આવી રહ્યું છે. અને તેમને જરૂરી સામાન પણ આપવામાં આવી રહ્યો છે. આસાથે વાતચીત દરમિયાન PM મોદીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે પોતાની જૂની મુલાકાતને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને ગયા વર્ષે એપ્રિલમાં થયેલી વર્ચ્યુલ સમિટ વાળી મુલાકાત યાદ છે. હું આપને જલ્દીથી ભારતમાં મળવા માંગું છું.જેના પર માર્ક રુટ્ટે શું જવાબ આપ્યો તે હજી સામે નથી આવ્યો
PM મોદીની તરફથી આ વિષય પર ઘણા નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી
આ પહેલા પણ PM મોદીની તરફથી ઘણા નેતાને ફોન પર વાતચીત કરવામાં આવી છે. જ્યારથી યુદ્ધ શરૂ થયુ છે. મોદી દ્વારા ઘણા નેતાઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ સાથે તેમની બે વખત રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાતતચીત થઈ છે. તો બીજી તક યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીનો પણ સંપર્ક સાધ્યો છે.