પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સી-પ્લેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવ્યા છે. આ અગાઉ PM મોદીએ સિવિલ સેવાના અધિકારીઓ સાથે સંવાદ કર્યો છે. પીએમએ કહ્યું કે તમે સર્વિસમાં જશો ત્યારે ભારતનું 75મું આઝાદી પર્વ હશે, આપની સર્વિસનો કાર્યકાળ ખુબ જ મહત્વનો કાળ હશે.
પીએમ મોદી કેવડિયાથી સી-પ્લેન મારફત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા છે. જ્યા રાજ્યપાલ, સીએમ વિજય રૂપાણી, પ્રદિપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું.
કેવડિયા ખાતે આજે સી પ્લેનનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરાયું હતું અને આ પ્લેન સેવાના પ્રથમ પેસેન્જર તરીકે સવાર થઈ અમદાવાદ આવવા રવાના થયા છે. જ્યારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યપાલ, CM રૂપાણી અને ગૃહરાજ્ય પ્રધાન તેમના સ્વાગત માટે હાજર રહ્યાં છે. આશરે 45 મિનિટનો સફર કરીને PM મોદી કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચશે.
PM મોદીએ કહ્યું કે સરદાર પટેલ દેશની સિવિલ સર્વિસના જનક હતા. તમે તમારી જાત માટે અડધો કલાક પ્રતિદિન નીકાળો. તમે જે વિચારો છો તે લખી રાખજો. કાગળ પર લખેલા સંકલ્પ આજના દિવસની યાદ અપાવશે. દેશના નાગરિકોની સેવા આપનું સર્વોચ્ચ કર્તવ્ય છે.
PM મોદીનો ચીન-પાકિસ્તાનને કડક સંદેશ
પીએમ મોદીએ કેવડિયા ખાતેથી પાડોશી દેશનો પોતાના અંદાજમાં કડક સંદેશ પાઠવ્યો છે. પીએમએ કહ્યું કે ભારત તેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાનું જાણે છે. સરહદ પર સેના અડગ છે. ભારત હવે રક્ષાક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે સીમાઓ પર ભારતની નજર અને નજરિયો હવે બદલાઈ રહ્યો છે. સીમા પર નજર બગાડનારઓને જવાબ મળશે. સંપ્રભુતા અને સન્માનની રક્ષા માટે ભારત સંપૂર્ણ સજજ છે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક દેશ આતંકવાદના સમર્થનમાં આવ્યા છે, આતંકવાદથી કોઇનું કલ્યાણ નહીં થાય. આતંકવાદની સામેની લડાઇમાં એકજૂટ થવાની જરૂર છે.
આજથી સી-પ્લેન સેવાનો પ્રારંભ
પીએમ મોદીએ કહ્યું કે આજથી સી-પ્લેન સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ સી-પ્લેન સેવા આજથી શરૂ થશે. SOUને જોવા લોકો સી-પ્લેનમાં જઇ શકશે. પીએમએ કહ્યું આ યોજનાથી રોજગારીની નવી તકો ઉભી થશે. PM મોદીએ ગુજરાત સરકાર અને જનતાને અભિનંદન પાઠવ્યાં
SOU વિસ્તારમાં અનેક પ્રોજેક્ટના લોકાર્પણ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 2014માં એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. દેશવાસીઓએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ પૂર્ણ કર્યો. SOU વિસ્તારમાં અનેક પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. આ વિસ્તાર નવા ભારતનું તીર્થસ્થળ બન્યું. PMએ કહ્યું કે નર્મદા તટ વિશ્વ ટુરિઝમમાં આગવું સ્થાન ધરાવશે.
પીએમ મોદીએ કેવડિયા ખાતેના સંબોધનમાં મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિત્તે યાદ કર્યાં. પીએમ મોદીએ કહ્યું વાલ્મિકીએ ભારતને ઉત્કર્ષ બનાવવાનું કામ કર્યું. ભગવાન રામનો જીવન સંદેશ મહર્ષિ વાલ્મિકીએ કંડાર્યો. વાલ્મિકીએ રાષ્ટ્ર ભાવના જગાડવાનું કામ કર્યું હતું.
PM મોદીએ કોરોના કાળ દરમિયાન લોકડાઉનમાં પોલીસ તેમજ કોરોના વોરિયર્સની કામગીરીની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી. પીએમ મોદીએ જવાનોને કેવિડયામાં રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્ર સુરક્ષા માટે શપથ લેવડાવ્યાં.
Gujarat: 'Rashtriya Ekta Diwas' parade to mark the birth anniversary of Sardar Vallabhbhai Patel, underway at Kevadia pic.twitter.com/3CvHR5fzr8
કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન હાથ ધરાયું છે. BSF દ્વારા એકતા પરેડ યોજાઇ. જેમાં IBPT, CRPF, NSG, NDRF, ગુજરાત પોલીસ પણ પરેડમાં જોડાઇ છે.
Kevadia: Prime Minister Narendra Modi witnesses 'Rashtriya Ekta Diwas' parade on the birth anniversary of Sardar Vallabhbhai Patel#Gujaratpic.twitter.com/8BJRrLrE8Z
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે એકતા પરેડમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યાં. જેમા બેન્ડબાજા સહિતનું આયોજન કરાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને પુષ્પાંજલી અર્પી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પીએમ મોદી આજે ગુજરાતને મહામૂલી સી-પ્લેનની ભેટ આપશે. કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. ત્યારે શહેરમાં પીએમ મોદીની મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
ગઇકાલે પીએમ મોદીએ રાજ્યને કેટલીક ભેટ આપી છે. પીએમ મોદીએ કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને પુષ્પાંજલી અર્પી, ત્યારબાદ તેઓએ જળ અર્પણ કરી નમન કર્યું. કેવડિયા ખાતે એકતા પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary, at the Statue of Unity in Kevadia, Gujarat pic.twitter.com/Q0mR50XP46
31 ઓક્ટોબરથી દેશની એરલાઇન કંપની સ્પાઇસ જેટ દરરોજ બે ફ્લાઇટ શરૂ કરશે. આ ફ્લાઇટ સેવાઓ અમદાવાદથી કેવડિયા રૂટ પર રહેશે. 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ટિકિટ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સ્પાઇસ જેટ આ ફ્લાઇટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂસિવ વન-વે ટિકિટ રૂ.1500/-થી શરૂ થશે.
અમદાવાદથી કેવડિયાના દરરોજ 4 ટ્રીપ
અમદાવાદથી સવારે 8.00 કલાકે પ્રથમ ટ્રીપ, 10.15 કલાકે, બપોરે 12.45 કલાકે અને સાંજે 3.05 કલાકે ટ્રીપ ઉડાન ભરશે. કેવડિયાથી પ્રથમ ટ્રીપ સવારે 9.15 કલાકે, સવારે 11.30 કલાકે બીજી ટ્રીપ, બપોરે 1.50 કલાકે ત્રીજી ટ્રીપ અને છેલ્લી ટ્રીપ સાંજે 4.20 કલાકે ઉડાન ભરશે.