આજથી 2 દિવસ ફરીવાર PM મોદી ગુજરાતના આંગણે આવી રહ્યાં છે. PM મોદી આજે 4 સ્થળોએ જંગી જનસભાને સંબોધી ચૂંટણી પ્રચાર કરશે.
આજથી 2 દિવસ PM મોદી ફરીવાર ગુજરાતના પ્રવાસે
4 જિલ્લાઓમાં PM મોદી કરશે ચૂંટણી પ્રચાર
મહેસાણા,દાહોદ,વડોદરા,ભાવનગરમાં સભાને સંબોધશે
ગુજરાતની ચૂંટણીને હવે ઝાઝા દિવસો નથી રહ્યાં ત્યારે તમામ રાજકીય પક્ષો હાલ ચૂંટણી પ્રચાર કરવામાં તડામાર જોર લગાવી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંક્યા બાદ PM મોદી આજથી ફરી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
PM મોદી આજે 4 સ્થળોએ જંગી જનસભાને સંબોધશે
PM મોદી આજે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગર એમ ચાર સ્થળોએ જંગી જનસભાને સંબોધશે. જે અનુસાર, આજે બપોરના 1 વાગ્યે મહેસાણામાં, બપોરના 3:30 કલાકે દાહોદમાં, સાંજે 5.30 કલાકે વડોદરામાં અને સાંજે 7.30 કલાકે ભાવનગરમાં PM મોદીની જનસભા યોજાશે.
27 અને 28 નવેમ્બરે પણ PM મોદી ગુજરાત આવશે
ત્યાર બાદ વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 27 અને 28 નવેમ્બરે પણ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ આ દિવસે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર કરશે. PM મોદી 6થી વધુ જનસભાઓને સંબોધન કરશે. PM મોદી 2 જ દિવસમાં 6થી વધુ જનસભાઓને સંબોધન કરશે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ તારીખ 19-20 અને 21ના રોજ સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંક્યુ હતું. PM મોદીએ સુરેન્દ્રનગર અને નવસારીમાં જંગી જનસભાને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. PM મોદીએ ગઇકાલે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'કોંગ્રેસવાળા કહે છે કે આ મોદીને તેની ઓકાત બતાવી દઇશું, અરે મારી કોઈ ઓકાત નથી. હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું ભાઈ. અરે અમારી કોઈ ઓકાત નાથી, વિકાસના કામોની ચર્ચા કરો. વિકાસના કામોમાં અમે હિસાબ આપવા તૈયાર છીએ પણ કોંગ્રેસ વાળા હવે વિકાસની વાત જ નથી કરતા.'