પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. પીએમ મોદી છેલ્લા 6 વર્ષથી દેશના લોકપ્રિય નેતા રહ્યા છે. આ સમયે તેઓએ દેશના વિદ્યાર્થીઓને કેટલાક ઉદાહરણ પૂરા પાડ્યા છે જે દરેક વિદ્યાર્થીઓએ જાણવા જોઈએ.
પીએમ મોદીના ખાસ સંદેશ
પીએમની 7 વાતો વિદ્યાર્થીઓ માટે બનશે પ્રેરણામંત્ર
વિદ્યાર્થીઓને નવી દિશા આપશે પીએમ મોદીના મંત્ર
પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. પીએમ મોદી છેલ્લા 6 વર્ષથી દેશના લોકપ્રિય નેતા બન્યા છે. અનેક સર્વેક્ષણો અને સાથે સંસદીય ચૂંટણીમાં તે સાબિત પણ થયું છે. તેઓ વ્યાપક રીતે ચર્ચિત અને વિવાદિત રાજનીતિજ્ઞ છે. તેમના દ્વારા દેશને અનેક વિદ્યાર્થીઓને પ્રભાવશાળી ઉદાહરણો આપવામાં આવ્યા છે. પીએમ મોદીના 7 વાક્યો જે ઉદાહરણ રૂપ છે અને દરેક વિદ્યાર્થીએ પોતાની કરિયર બનાવવા જાણવા જોઈએ.
અભ્યાસ ફક્ત પુસ્તકોથી મળતો નથી. અભ્યાસનો હેતુ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વનો સંતુલિત વિકાસ કરવાનો છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ હેતુથી આવે છે અને અભ્યાસ આ હેતુને પૂરા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
પોતાની અંદરના વિદ્યાર્થીને મરવા ન દો. આપણી અંદરનો વિદ્યાર્થી જીવિત રહે તે જરૂરી છે. તે આપણને જીવવાની તાકાત આપે છે.
આવનારો દસકો સમાજના એ લોકોનો છે જે હાંશિયા પર છે. યુવાઓમાં અદભૂત ક્ષમતા છે અને આ તાકાત છે જે રાષ્ટ્રમાં બદલાવ લાવી શકે છે.
આપણે હંમેશા એક સપનું જોવું જોઈએ. પણ વ્યક્તિએ હંમેશા કંઈક બનવાના બદલે કંઈક કરવાનું સપનું જોવું જોઈએ.
હું યુવાનોને અનુરોધ કરું છું કે જ્યારે તમે એ નક્કી કરશો કે તમારે શું બનવું છે ત્યારે તમે કેદી બની જાઓ છો. તમે ફક્ત કંઈક કરવાની ઈચ્છા રાખો અને સ્વતંત્રતાનો આનંદ લો. આ જ તમારો એક ઉદ્દેશ્ય હોવો જોઈએ.
જો તમે કોઈ વિષય પર ફોકસ કરવા ઈચ્છો છો તો તમે સૌ પહેલાં ડી ફોકસ કરવાનું શીખો. ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વનું છે. મનોરંજન માટે પ્રકૃતિના સંપર્કમાં આવવું અને રમવું મહત્વનું છે.
જો અભ્યાસમાં લક્ષ્ય નથી તો તમે રૂમની દિવાલ પર લટકાવેલા પ્રમાણપત્રથી વધારે કંઈ નથી. સમાજ સાથે સહયોગ કરવા અને દેશમાં શિક્ષાનું પ્રમાણ વધારવા અને નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડવા પર સરકાર કાર્ય કરી રહી છે.