પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફે શપથ લીધા છે. ત્યારે પાક.ના નવા પ્રધાનમંત્રીને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે.
પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફે શપથ
પાક.ના નવા પ્રધાનમંત્રીને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી
કાશ્મીર મુદ્દે સમાધાન બાદ જ શાંતિ સ્થાપિત કરી શકાશેઃ શહબાઝ શરીફ
પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. શુભેચ્છાની સાથો સાથ પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે ભાર આપતા કહ્યું કે, ભારત પણ શાંતિ ઇચ્છે છે જ્યાં આતંકની કોઈ જગ્યા ન હોય.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનાવ પર શહબાઝ શરીફને શુભેચ્છા. ભારત શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે જ્યાં આતંકવાદ માટે કોઈ જગ્યા ન હોય. એવું થવા પર આપણે વિકાસરૂપી પડકારો પર ભાર આપી શકશે અને પોતપોતાના લોકોનુ ભલુ કરી શકીશું. હવે પીએમ મોદીનું આ ટ્વિટ એટલા માટે વધુ મહત્વ રાખે છે કારણ કે તેમણે શુભેચ્છા આપવાની સાથોસાથ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે સીધેસીધુ તો કંઇ ન કહ્યું, પરંતુ પાકિસ્તાનના નવા પીએમને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
Congratulations to H. E. Mian Muhammad Shehbaz Sharif on his election as the Prime Minister of Pakistan. India desires peace and stability in a region free of terror, so that we can focus on our development challenges and ensure the well-being and prosperity of our people.
કાશ્મીરમાં જે રીતે પાકિસ્તાન સુઆયોજિત આતંકવાદને જોવા મળે છે, જે પ્રકારે પાડોશી દેશથી આતંકવાદી આ ઘાટીનો માહોલ ખરાબ કરે છે, પીએમએ સ્પષ્ટ કહે છે કે શાંતિ અને સ્થિરતા ત્યારે જ સંભવ છે જ્યારે આતંકવાદ પર કાબૂ મેળવી લેવાશે. આ પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારત આપીને કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે સમાધાન બાદ જ શાંતિ સ્થાપિત કરી શકાશે.