બંગાળમાં મળી હાર અને યુપીમાં થનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓન ફેરબદલી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓની ફેરબદલી કરવા માટેની તૈયારીઓ શરૂ
CM યોગી શુક્રવારે સવારે 11 વાગ્યે PM મોદીના આવાસ પર પહોંચ્યા
CM યોગી અને એ.કે.શર્મા વચ્ચે પણ ગુપ્ત બેઠક યોજાઇ હતી
કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓની ફેરબદલી કરવા માટેની તૈયારીઓ શરૂ
સૂત્રો મુજબ, PM મોદી નાના નાના ગ્રૂપમાં હાલ મંત્રીઓને મળી રહ્યા છે અને તેમના સંબંધિત મંત્રાલયોની ચર્ચા કરી રહ્યા છે. આજે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ PM મોદી સાથે આ બેઠકમાં હાજર રહેશે. બંગાળમાં મળી હાર અને યુપીમાં થનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓની ફેરબદલી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો કેબિનેટમાં ફેરફાર થશે એ નક્કી છે.
CM યોગી શુક્રવારે સવારે 11 વાગ્યે PM મોદીના આવાસ પર પહોંચ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદી નાના નાના ગ્રૂપમાં હાલ મંત્રીઓને મળી રહ્યા છે અને તેમના સંબંધિત મંત્રાલયોની ચર્ચા કરી રહ્યા છે. આવતીકાલે, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમર, ગેજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્રનાથ પાંડે, હરદીપ પૂરી અને તેમના સાથે જોડાયેલ મંત્રાલયોની સમીક્ષા કરશે. આ પહેલા CM યોગી શુક્રવારે સવારે 11 વાગ્યે PM મોદીના આવાસ પર પહોંચ્યા હતા, ત્યાં તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરી. બંને નેતાઓ વચ્ચે લગભગ સવા કલાક સુધી ચર્ચા થઈ, બપોરે સવા બાર વાગ્યે તેઓ PM આવસમાંથી બહાર આવ્યા. PM મોદીને મળ્યા બાદ CM યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું હતું.
CM યોગીએ ટ્વિટર પર લખ્યું કે " આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પાસેથી નવી દિલ્હીમાં શિષ્ટાચાર મુલાકાત અને માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમના એકદમ વ્યસ્ત દિનચર્યામાંથી પણ તેમણે સમય કાઢીને માર્ગદર્શન પૂરું પાડયું તે માટે પ્રધાનમંત્રીનો દિલથી આભાર"
CM યોગી અને એ.કે.શર્મા વચ્ચે પણ ગુપ્ત બેઠક યોજાઇ હતી
યોગીની મુલાકાત બાદ NDAની સહયોગી પાર્ટી અપના દળ (S)ના અધ્યક્ષ અનુપ્રિયા પટેલે પણ અમિત શાહ સાથે મુલાકાત કરી. અનુપ્રિયા પટેલ પણ ઉત્તરપ્રદેશના રાજકારણમાં વર્ચસ્વ ધરાવે છે. સાથે જ યુપીના મંત્રીમંડળમાં ગુજરાત કેડરના પૂર્વ IAS એ.કે.શર્માને પણ મહત્વનું સ્થાન મળી શકે છે. મળતી માહિતી મુજબ યોગી અને એ.કે.શર્મા વચ્ચે પણ ગુપ્ત બેઠક યોજાઇ હતી. યોગી સાથે મુલાકાત પહેલા એ.કે.શર્માએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. અને કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે પણ યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી છે.