રવિવારે પશ્ચિમ બંગાળમાં રાજકારણનો સુપર સંડે રહ્યો, પીએમ મોદી અને મમતા બેનર્જીએ એક બીજા પર આકરા પ્રહારો કર્યા છે.
પીએમ મોદીને મમતા બેનર્જીનો જવાબ
તેમની સ્ક્રિપ્ટ ગુજરાતીમાં જ હોય છે : મમતા
તમારી જૂઠ બોલવાની ટેવ પર શરમ આવવી જોઈએ : મમતા
લોકોને હવે વિશ્વાસ નથી રહ્યો : મમતા બેનર્જી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા રૂપમાં મોરચો ખોલ્યો અને ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે ત્યારે મમતા બેનર્જી પણ પીએમ મોદી પર હુમલા કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે પીએમ મોદી જુઠ્ઠાણાંનો સહારો લઈ રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે પીએમ મોદીએ આટલા વર્ષોમાં જે ખોખલા વાયદા કર્યા છે તેના પર લોકોને હવે વિશ્વાસ નથી રહ્યો. પીએમ મોદીએ દરેકના ખાતામાં 15-15 લાખ રૂપિયા કેમ જમા ન કરાવ્યા?
તમને શરમ આવવી જોઈએ : મમતા
બેનર્જીએ કહ્યું કે લોકો વારંવાર જૂઠને સ્વીકાર નહીં કરે. અમે માંગ કરીએ છે કે તમે દેશના નાગરિકોને સસ્તા દરે LPG સિલિન્ડર આપો. જૂઠ બોલવાની પોતાની ટેવ પર તમને શરમ આવવી જોઈએ.
બાંગ્લામાં ભાષણ આપે છે પણ સ્ક્રિપ્ટ તો ગુજરાતીમાં જ હોય છે : મમતા
મમતા બેનર્જીએ કહ્યું કે તે બાંગ્લામાં ભાષણ આપે છે પણ સ્ક્રિપ્ટ તો ગુજરાતીમાં લખેલી હોય છે અને તેમની સામે પારદર્શક કાચ મૂકવામાં આવે છે અને તે તેમાંથી વાંચી વાંચીને ભાષણ આપે છે. તે દેખાડો કરે છે કે તેમને બાંગ્લા આવડે છે.
તમારી પાર્ટીએ બિરસા મુંડાનું અપમાન કર્યું : મમતા બેનર્જી
મમતા બેનર્જીએ કહ્યું કે તમારી પાર્ટીએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તમારી પાર્ટીએ બિરસા મુંડાનું અપમાન કર્યું. તમારી પાર્ટીએ ખોટી રીતે કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ શાંતિનિકેતનમાં થયો છે. તેમણે કહ્યું કે બંગાળના દરેક સમાજના લોકો ભાષાના બંધનને તોડીને શાંતિ રહે છે જે રાજ્યમાં ભગવા પાર્ટી સત્તામાં આવશે તે તણાવમાં રહેશે.