PM મોદીએ કહ્યું કે આ મંદિરને સદીઓનાં ઈતિહાસમાં કેટલીય વાર તોડવામાં આવ્યું, અહિયાં મૂર્તિઓને ખંડિત કરી દેવામાં આવી,
સોમનાથ મહાદેવ મંદિરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ
PM મોદીએ મંદિરનાં ઈતિહાસને કર્યું યાદ
આતંક અને આસ્થાને લઈને આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સોમનાથ મંદિરમાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ બાદ સંબોધનમાં PM મોદીએ મંદિરનાં ઈતિહાસનો ઉલ્લેખ કરીને આતંકવાદ અને આસ્થાને લઈને મોટો સંદેશ દુનિયાને આપ્યો છે જેમાં વર્તમાન પરિસ્થિતિને જોતાં તાલિબાન સાથે જોડીને પણ જોઈ શકાય છે.
તાલિબાનીઓ પર આડકતરો સંદેશ
PM મોદીએ નામ લીધા વિના કહ્યું કે જે તોડનારી શક્તિઓ છે, જે આતંકનાં બળે પોતાનું સામ્રાજ્ય ઊભું કરનારી વિચારધારા છે, તે કોઈ પણ કાળમાં થોડા સમય માટે ભલે હાવી થઈ જાય પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી ન હોઇ શકે, તે વધારે દિવસ સુધી માનવતાને દબાવીને રાખી શકે નહીં.
जो तोड़ने वाली शक्तियाँ हैं, जो आतंक के बलबूते साम्राज्य खड़ा करने वाली सोच है, वो किसी कालखंड में कुछ समय के लिए भले हावी हो जाएं लेकिन, उसका अस्तित्व कभी स्थायी नहीं होता, वो ज्यादा दिनों तक मानवता को दबाकर नहीं रख सकती: PM @narendramodi
સોમનાથ મંદિરને કેટલીય વાર તોડવામાં આવ્યું : PM મોદી
PM મોદીએ કહ્યું કે આ મંદિરને સદીઓનાં ઈતિહાસમાં કેટલીય વાર તોડવામાં આવ્યું, અહિયાં મૂર્તિઓને ખંડિત કરી દેવામાં આવી, અસ્તિત્વનો નાશ કરી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ જેટલીવાર આ મંદિરને પાડવામાં આવ્યું, તેટલી જ વાર મંદિર ઊભું થઈ ગયું.
इस मंदिर को सैकड़ों सालों के इतिहास में कितनी ही बार तोड़ा गया, यहाँ की मूर्तियों को खंडित किया गया, इसका अस्तित्व मिटाने की हर कोशिश की गई।
શિવ વિનાશી, અવ્યક્ત અને અનાદિ છે : PM મોદી
PM મોદીએ કહ્યું કે આ શિવ છે જે વિનાશમાં પણ વિકાસનાં બીજ અંકુરિત કરે છે, સંહારમાં પણ સર્જનને જન્મ આપે છે. એટલે જ શિવ અવિનાશી, અવ્યક્ત અને અનાદિ છે. શિવમાં આસ્થા આપણને સમયની સીમાઓથી પર અસ્તિત્વનો બોધ કરાવે છે, સમયનાં પડકારો સામે લડવાની શક્તિ આપે છે.
સોમનાથ મંદિરમાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ
સોમનાથ મંદિરની આસપાસ પ્રાસાદ યોજના થકી 80 કરોડ રૂપિયાના નવીનીકરણના કામો કરવામાં આવ્યા છે. આજે થયેલા લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી તેમજ સીએમ રૂપાણી અને સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા.જેમાં PM મોદી અને અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કરી સોમનાથને વિશેષ 4 ભેટો આપી ભવ્યતામાં વધારો કર્યો હતો. ઉદ્ઘાટન સમયે પીએમ મોદીએ સોમનાથની વિકાસગાથાનું વર્ણન કર્યુ હતુ. સીએમ રૂપાણી અને અમિત શાહે સોમનાથમાં થયેલા વિકાસ કર્યો માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
સમુદ્ર દર્શન માટે વોક વે
દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તે પાક્કું છે. રૂપિયા 45 કરોડના ખર્ચે આ ખાસ વોક-વે તૈયાર કરાયો છે. વોક-વે પરથી સોમનાથ દાદાની સાથે સમુદ્રના દર્શન પણ કરી શકાશે. તે સાથે જ સમુદ્રને દૂર દૂર સુધી જોઈ શકાય તે માટે દૂરબીન પણ મુકાયું છે, આ ઉપરાંત વોક-વે પર યાત્રિકો સાઈકલિંગ અને વોકિંગ કરી શકે એ માટે ખાસ સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. વોક-વેને વધુ સુંદર બનાવવા વોક-વે પર ભારતની સંસ્કૃતિના ચિત્રો તૈયાર કરાયા છે, જેમાં રામાયણ, મહાભારતના પ્રસંગો જોઈ તમે અલગ જ અનુભૂતિ કરી શકશૉ. આ સાથે જ જો રાત્રી રોકાણ પર સોમનાથ ગયા હોવ તો રાત્રી દરમિયાન મ્યૂઝિક અને રંગબેરંગી લાઈટ્સ વોક-વેની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે, વોક-વે પર પ્રવેશ માટે ત્રણ ગેટ તૈયાર કરાયા છે જે માટે યાત્રિકોએ રૂપિયા 5 ફી ભરવાની રહેશે.