વેક્સિનેશનને લઈને વડાપ્રધાન મોદી દ્વારા આજે બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં વડાપ્રધાને અધિકારીઓને ડિસેમ્બર સુધીમાં વેક્સિનેશનનો ટાર્ગેટ આપ્યો.
વેક્સિનેશનને લઈને વડાપ્રધાને યોજી મહત્વની બેઠક
ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશામાં વેક્સિનેશનનો ટાર્ગેટ આપ્યો
ત્રીજા તબક્કામાં 7.87 કરોડ લોકોનું વેક્સિનેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વેક્સિનેશનને લઈને એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના ટાસ્ક ફોર્સ તેમજ વડાપ્રધાન કાર્યાલયના અમુક વ્યક્તિઓ હાજર હતા. વડાપ્રધાને આ બેઠકમાં કહ્યું વેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે. સાથેજ વડાપ્રધાને ડિસેમ્બર મહિના સુધીમાં પૂરા દેશમાં વેક્સિનેશનનો ટાર્ગેટ આપ્યો છે.
કુલ 31 કરોડ લોકોનું વેક્સિનેશન
ભારતમાં હાલ 31 કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મામલે શુક્રવારે જાણકારી આપવામાં આવી હતી. વેક્સિનેશનનો ત્રીજો તબક્કો 21 જૂનથી શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60 લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જેથી દિવસેને દિવસે હવે વેક્સિનેશનનું પ્રમાણ વધતું દેખાઈ રહ્યું છે.
ત્રીજા તબક્કામાં 7.87 કરોડ લોકોનું વેક્સિનેશન
છેલ્લા 24 કલાકમાં 18થી 44 વર્ષના 36 લાખ લોકોએ વેક્સિન લીધી છે. જે પૈકી 77 હજાર કરતા વધારે લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધી 7.87 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ જ્યારે 17.09 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
1.45 કરોડ વેક્સિનનો ડોઝ ઉપલબ્ઘ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જોડે 1.45 કરોડ જેટલા ડોઝ ઉપલબ્ધ છે. સાથેજ તેમણે એવું કહ્યું કે આગામી દિવસોમાં 19 લાખ કરતા વધારે વેક્સિનના ડોઝ પહોચવાના છે. કેન્દ્ર સરકાર દ્વારા જે મફત રસિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમા 31 કરોડ કરતા વધારે લોકોને મફત રસી આપવામાં આવી છે.
19 લાખનો નવો ડોઝ મળશે
ઉલ્લેખનીય છે હાલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કુલ 1 કરોડ 45 લાખ આસપાસ વેક્સિનનો ડોઝ છે. જે ડોઝ લોકોને આપવાનો બાકી છે તે સિવાય 19 કરતા વધારે વેક્સિનનો બીજો જ્થ્થો પણ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવશે.