ગુજરાતને મળી 8 વિવિધ વિકાસલક્ષી કાર્યોની સૌથી મોટી ભેટ, PM નરેન્દ્ર મોદીએ વિકાસના કામોનું કર્યું વર્ચુઅલી લોકાર્પણ
વડાપ્રધાન મોદીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું કર્યું વર્ય્યુઅલ લોકાર્પણ
ગુજરાત કોરોનાની કામગીરીને લઈને રૂપાણી સરકારની કરી પ્રશંશા
રેલ્વે સ્ટેશનને નવા ભારતની ઓળખ માટેની કડી બતાવી
કાંકરિયા અને સાબરમતી રિવરફ્રન્ટનું ઉદાહરણ
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં વિકાસના કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું, જેમા સૌથી પહેલા તેમણે ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કર્યું ગાંધીનગર રેલ્વેસ્ટેશનના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને કહ્યું કે આ નવા ભારત માટે એક નવી પહેલ છે. તેમણે કહ્યું કે દેશનું ઈન્ફ્રાસ્ટ્રકચર હવે કોંક્રીટ અને સિમેન્ટનું નથી ખાલી. હવે આપણે અલગ રીતે અર્બન ઈન્ફ્રાસ્ટ્ર્ચર કરીએ છે. વધુમાં તેમણે સાબરમતી રિવરફ્રન્ટ અને સી પ્લેનનું પણ ઉદાહરણ આપ્યું સાથેજ કાંકરીયાનું પણ ઉદાહરણ આપ્યું.
નવા ભારતની ઓળખ માટેની કડી
પ્રધાનમંત્રીએ સંબોધન કરતા એવું પણ કહ્યું કે તક મળશે તો ગુજરાત જરૂર આવીશ. આજનો દિવસ તેમણે દેશની આકાંશાનો નવો પ્રતિક ગણાવ્યો. સાયન્સ સિટીમાં તેમણે નેચર પાર્કનું પણઁ લોકાર્પણ કર્યું. અને કહ્યું કે નવા ભારતની ઓળખ માટે નવી કડી જોડાઈ છે.
મહાત્મા મંદિરનું મહત્વ વધ્યું
ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો પ્રયોગ મામલે તેમણે કહ્યું દેશના રેલ્વે સ્ટેશનો માટે આ એક અનોખુ ઉદાહરણ અને અનોખી પહેલ છે. મુખ્યમંત્રી હતા ત્યારે બસ સ્ટેશનોને આધુનિક કર્યા તે વાત કરી. વધુમાં વડાપ્રધાને કહ્યું કે રેલ્વે અને ટ્રેનોનો વિકાસ ગાંધીનગરથી શરૂ થાય છે. રેલ્વે સ્ટેશનની સુવિધાઓ વીશે વિગતવાત કરતા કહ્યું કે રેલ્વે સ્ટેશનથી મહાત્મા મંદિર અને દાંડી કૂટીર મ્યુઝિયમ પણ દેખાય છે અને કહ્યું મહાત્મા મંદિરનું મહત્વ પણ હવે આ રેલ્વે સ્ટેશનને કારણે વધી ગયું છે.
વેક્સિનેશન મામલે ગુજરાતના વખાણ
કોરોના મુદ્દે કહ્યું કે ભારત એક સાથે તેની લડી રહ્યું છે. ગુજરાતે પણ એકસાથે મળીને કોરોના સામે લડાઈ લડી, તેમણે વેક્સિનેશનની પ્રક્રિયા પર ભાર આપતા કહ્યું કે ગુજરાત 3 કરોડ વેક્સિનેશનના આકડા પર પહોચવા આવ્યું છે. જે ઘણી સારી બાબત કહી શકાય. સાથેજ તેમણે કહ્યું કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રિટમેંટ અને રસીકરણથી કોરોનાને આપણે રોકીશું. રસીકરણની પ્રક્રિયા તેમણે વધું ઝડપી બનાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગૃહમંત્રી મિતશાહ પણ લોકાર્પણમાં જોડાયા હતા
કેન્દ્રીય વર્ચ્યુઅલ લોકાર્પણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ વર્ચ્યુઅલ લોકાર્પણમાં જોડાયા હતા અને તેમણે વિકાસના કામોની પ્રશંસા કરી હતી
વિશ્વના દેશોમાં ગુજરાતના વિકાસની ચર્ચા
મુ્ખ્યમંત્રી રૂપાણીએ લોકાર્પણ વખતે કહ્યું કે ભાજપ દ્વારા વિકાસની ગતી ક્યારેય ધીમી નથી પડી. સાથેજ તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્તવમાં અગાઉ પણ વિકાસના કામો કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું ગુજરાતના વિકાસની ચર્ચા વિશ્વના દેશોમાં થતી હોય છે. ગાંધીનગર વર્ષોથી રેલ્વેથી વંચિત રહ્યું છે. પરંતુ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આધુનિક રેલ્વે સ્ટેશન તૈયાર કરવામાં આવશે.
વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રેલ્વે સ્ટેશન તૈયાર
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું રેલ્વે માટે ગુજરાતે વર્ષો સુધી અન્યાય સહન કર્યો છે. પરંતુ હવે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે વડાપ્રધાન મોદીએ રેલ્વેસ્ટેશન તૈયાર કારાવ્યું સાથેજ સ્ટેશન પાસે આધુનિક ફેસેલીટી વાળી ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવી.
એરપોર્ટને ટક્કર આપે તેવું રેલ્વેસ્ટેશન
ગાંધીનગર ખાતે જે રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલ તૈયાર કરવામાં આવી છે. તે રેલ્વે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર આપે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અહીયા સરકાર દ્વારા બધીજ સુવિધા આપવામાં આવી છે. જેથી યાત્રીઓને અહીયા કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી ન થઈ શકે.
સાયન્સસિટીમાં 3 નવા વિકલ્પો પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમા એક્વાટિક, રોબોટિકસ ગેલેરી તેમજ નેચરપાર્કનો આનંદ આજથી લોકો માણી શકશે.
એક્વાટિક ગેલેરી હવે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ બન્યું છે. જેને જોવા માટે લોકો હવે જઈ શકશે.
આ એક્વેરિયમ સેન્ટરની અલગ અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતના દરિયાઈ જીવો જોવા પણ જોવા મળશે.
આ એક્વેરિયમ સેન્ટરની ખાસ વાત એ પણ છે કે અહીયા 28 મીટરની અંડર વોટર વોક-વે ટનલ બનાવામાં આવી છે.
સાયન્સ સીટીની રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200 થી વધુ રોબોટ્સ મુલાકાતીઓ માટે મુકવામાં આવ્યા છે.
હ્યુમોનોઇડ રોબોટ સાથે મુલાકાતીઓ વાતચીત પણ કરી શકશે
20 એકરમાં પથરાયેલ નેચર પાર્કમાં 380 થી વધુ પ્રજાતિ જોવા મળશે
જોકે આ સિવાય જે રેલ્વે સ્ટેશન ગાંધીનગરમાં બનાવામાં આવ્યું છે. ત્યા બે એસ્કે લેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન સબ-વે પણ બનાવામાં આવ્યા છે. ઉપરાંત અહીયા 300 કરતા વધારે યાત્રીકો માટે પ્રતીક્ષા સ્થળ તેમજ એન્ટ્રલ એસી વાળો હોલ પણ બનાવામાં આવ્યો છે.
સ્ટેશન પર એલઈડી સ્ક્રીન પણ મુકવામાં આવી છે. અને આ સ્ટેશન દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ સાનુકૂળ રહેશે
રેલ્વે સ્ટેશન પાસે જે હોટલ બનાવામાં આવી છે તે હોટલમાં 318 જેટલા રૂમ બનાવમાં આવ્યા છે. જેથી યાત્રીઓ હવે ગાંધીનગર પહોચીને ડાયરેક્ટ ફાઈવ સ્ટાર હોટલમાં જઈ શકશે.
રેલ્વે સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચપર પણ ઘણું અદ્ભૂત બનાવામાં આવ્યું છે.