વારાણસીના ડોક્ટરો સાથે પીએમ મોદીએ શુક્રવારે વાતચીત કરી. તે સમયે તે ભાવુક થઈ ગયા હતા.
વારાણસીમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સાથે પીએમ મોદીએ કરી વાત
વાતચીત દરમિયાન ભાવુક થયા પીએમ મોદી
સીએમ યોગી અને ઓફિસરોના વખાણ કર્યા
પીએમ મોદીએ કોરોનાકાળમાં વારાણસીના ડોક્ટરો સાથે વાતચીત કરી છે. વારાણસીમાં પ્રધાનમંત્રીએ કોરોનાની વ્યવસ્થાને લઈને સીએમ યોગી અને પ્રશાસનના અધિકારીઓના વખાણ કર્યા હતા. પીએમ આ વાતચીત વખતે ભાવુક થઈ ગયા હતા અને તેમણે કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલી આપી.
પ્રધાનમંત્રીએ વારાણસીમાં બ્રિગેડિયર એસ બવેજા, પ્રોફેસર કે કે ગુપ્તા, ડો. પ્રસન્ન કુમાર અને ડો. અસીમ મિશ્રા સાથે વાતચીત કરી. આ વાતચીતમાં પીએમએ કહ્યું, 'આ વાયરસે આપણા લોકોને છીનવી લીધા છે. હું તે દરેક લોકોને શ્રદ્ધાંજલી આપુ છું. તેમના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું.'
વારાણસીના ઓક્સિજન મેનેજમેન્ટના વખાણ
પીએમએ કહ્યું કે વારાણસીએ જે સ્પીડથી આટલા ઓછા સમયમાં ઓક્સિજન અને આઈસીયુ બેડ્સની સંખ્યા વધારી છે. જે પ્રકારે આટલી જલ્ગી પંડિત રાજન મિશ્રા કોવિડ હોસ્પિટલને સક્રિય કરી છે તે પોતાનામાં જ એક ઉદાહરણ છે.
પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન આપવાની જરૂર
પ્રધાનમંત્રીએ ડોક્ટરોને આગળ જણાવ્યું કે તમારા તપના કારણે અને દરેકના પ્રયત્નોના કારણે મહામારીના આ સમયને તમે ઘણી હદ સુધી સંભાળ્યો છે. પરંતુ અત્યારે સંતોષનો સમય નથી. હજુ આપણે એક લાંબી લડાઈ લડવાની છે. અત્યારે આપણે વારાણસી અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર પણ ખૂબ ધ્યાન આપવાનું છે.