તત્કાલિન CM નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણ કેસમાં ક્લીનચીટનો મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
2002 રમખાણ કેસમાં PM મોદીને ક્લીનચિટ
સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા
2006માં ખોટી રીતે ફરિયાદ દાખલ થઈ હતીઃ પાટીલ
સુપ્રીમ કોર્ટે 2002માં થયેલા ગુજરાત રમખાણ કેસોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વાળી SITના રિપોર્ટની વિરૂદ્ઘ દાખલ કરવામાં આવેલી અરજીને શુકવારે સવારે થયેલી સુનાવણીમાં ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે. ત્યારે આ મામલે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે આ પીએમને બદનામ કરવાનું કાવતરુ હતું.
SIT સામે 9 કલાક બેસીને જવાબો આપ્યા-સી.આર.પાટીલ
વર્ષ 2022માં રમખાણ કેસમાં પીએમ મોદીને ક્લિનચીટ પર સીઆર પાટીલે જણાવ્યું કે 2006માં કોઇની ચઢામણી કે પડદા પાછળ રહીને 4 વર્ષ પછી પીએમ મોદીને મુશ્કેલીમાં મુકવાના ઇરાદા સાથે આ ફરિયાદ દાખલ થઇ હતી. આ અંગે SITની રચના થઇ અને પીએમ મોદીએ 9 કલાક સુધી વકીલ રોક્યા વિના આ અંગે જવાબ આપ્યા હતા. કારણ કે તે પોતે નિર્દોષ હતા.તેમને કોઇ કાર્યકર્તાઓના બળપ્રયોગની જરૂર ન હતી.
કોંગ્રેસે આમાથી શીખ લેવાની જરૂર- સી.આર પાટીલ
તેઓએ વધુમાં જણાવ્યું કે આજે નામદાર સુપ્રીમકોર્ટે આવી અનેક અરજીઓ અને કોર્ટમાં જે ફરિયાદ દાખલ થઇ તેમાં 300 પાનાનો ચુકાદો આપીને પીએમ મોદીની જે ભૂમિકા હતી કે ક્રિસ્ટલ ક્લિયર હતી, તેમાં તેમની નેગેટિવ ભૂમિકા ન હતી. તોફાનને કાબૂમાં લેવા માટે સમયસર અને યોગ્ય પગલા લીધા હતા, સમયસર તોફાનને કાબૂમાં લીધા હતા એવી ટકોર સાથે તેમજ આની પાછળ કોઇ બીજી વ્યક્તિ છે તેવી ટકોર સુપ્રીમ કોર્ટે નોંધી છે. તેમાંથી કોંગ્રેસે શીખ લેવાની જરૂર છે તેવુ મારુ માનવું છે.
PM મોદીને દુ:ખ સહન કરતા મે ઘણા નજીકથી જોયા છે-શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત રમખાણોને રાજકીય ચશ્માથી જોવાયા છે. PM મોદીએ બંધારણનું સન્માન કર્યુ છે. મેં મોદીજીને નજીકથી આ પીડાઓનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી.બધું સત્ય હોવા છતાં પણ અમે કંઈ કહીશું નહીં.રમખાણોના મામલે મારી પણ પૂછપરછ થઈ હતી. અમિતશાહે વિપક્ષોના આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, અમે દેશભરમાંથી કાર્યકર્તાઓને બોલાવી પ્રદર્શન નહોતા કર્યા .જે લોકોએ મોદીજી પર આરોપ લગાવ્યા છે. તેઓની અંતરઆત્મા છે.તો તેમણે મોદીજીને અને બીજેપીના નેતાઓ પાસે માફી માંગવી જોઈએ .
#WATCH 18-19 साल की लड़ाई, देश का इतना बड़ा नेता एक शब्द बोले बगैर सभी दुखों को भगवान शंकर के विषपान की तरह गले में उतारकर सहन कर लड़ता रहा। मैंने मोदी जी को नजदीक से इस दर्द को झेलते हुए देखा है: केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/mDZTtB2ryu
જે દિવસે ગુજરાત બંધનું એલાન કરાયું હતું તે જ દિવસે અમે સેના બોલાવી લીધી હતી- શાહ
2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું હતું કે, જે દિવસે ગુજરાત બંધનું એલાન કરાયું હતું તે જ દિવસે અમે સેના બોલાવી લીધી હતી. જનતાએ ક્યારેય આરોપોને સ્વીકાર્યા નથી, અમે ક્યારેય ચૂંટણી હાર્યા નથી, હવે તો સુપ્રીમ કોર્ટે પણ આ માન્યું છે. તમેણે ઉમેર્યું હતું કે, તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી
મોદીએ 18-19 વર્ષ સુધી ‘વિષપાન’ જેવી પીડા સહન કરી
અમિત શાહે કહ્યું કે એક મોટા નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના 18-19 વર્ષની આ લાંબી લડાઈ કરી અને ભગવાન શંકરના ‘વિષપાન’ જેવી બધી પીડા સહન કરી. મેં તેમને ખૂબ જ નજીકથી પીડાતા જોયા છે. માત્ર એક મજબુત ઈચ્છા ધરાવનાર વ્યક્તિ જ કંઈ ન બોલવાનો સ્ટેન્ડ લઈ શકે છે, કારણ કે મામલો ન્યાયાધીન હતો.
PMને બદનામ કરવાના વિપક્ષના પ્રયાસો નિષ્ફળ: CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત રમખાણમાં PM મોદીને ક્લીનચીટનો મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહ્યું કે PM મોદી વિરોધીઓની ચાલ ખુલ્લી પડી ગઇ છે. "2002માં થયેલ કોમી રમખાણો અંગે આક્ષેપો થયેલા. આક્ષેપો સાથે થયેલ પીટીશન સુપીમ કોર્ટે ફગાવી દીધી છે. નરેન્દ્ર મોદીને બદનામ કરવાની રાજકીય ચાલ હતી. PM મોદીને અગાઉ ક્લીનચીટ મળવા છતા પીટીશન કરાઇ હતી. પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા વિપક્ષે પ્રયાસ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પીટીશન ફગાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યુ છે. PMને બદનામ કરવાના વિપક્ષના નાકામ પ્રયાસો નિષ્ફળ કર્યા છે.