પીએમ મોદીએ ધનતેરસના અવસરે એમપીના સતનામાં 4.5 લાખ લોકોને ઘરનું ઘર સોંપતા હજુ વધારે લોકોને પણ ઘર મળશે તેવું જણાવ્યું હતું.
ધનતેરસના અવસરે એમપીના લોકોને મળી પીએમ તરફથી ભેટ
સતનામાં પીએમ મોદીએ 4.5 લાખ લોકોને સોંપ્યાં ઘર
હજુ વધારે લોકોને પણ મળશે તેવી કરી જાહેરાત
પીએમ મોદીએ શનિવારે મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ બાંધવામાં આવેલા 4.5 લાખથી વધુ લાભાર્થીઓના ઘરોનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમને ગૃહ પ્રવેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ ઘરોમાં વીજળી, પાણીનું જોડાણ, શૌચાલયો અને ગેસનું જોડાણ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને તેનાથી લાભાર્થીઓને તેમનાં સ્વપ્નો સાકાર કરવાની તાકાત મળશે.
Under the PMAY-G, in the last 8 years, more than 3.5 crore poor families have got new houses. Our govt is committed to the poor and marginalized. Be it toilet, electricity, water or gas, we have included every facility to cater their needs in PM Awas Yojana: PM Modi pic.twitter.com/btmof4TVCG
ગરીબો હવે ધનતેરસે ગૃહપ્રવેશ કરી રહ્યાં છે- પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રધાનમંત્રી આવાસ યોજના દેશમાં સામાજિક-આર્થિક પરિવર્તન લાવવાનું મુખ્ય માધ્યમ બની ગઈ છે. એક સમય હતો જ્યારે ધનતેરસના અવસર પર માત્ર એ લોકો જ મોટી અને મોંઘી પ્રોપર્ટી ખરીદતા હતા જેમની પાસે સાધન-સામગ્રી અને પૈસા હોય તેવી કાર અને ઘર જેવા ઘર પણ ખરીદતા હતા. પરંતુ આ દિવસે દેશના ગરીબ પણ ધનતેરસના દિવસે ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે.
ગરીબો માટે સમર્પિત સરકાર
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમારી સરકારનું સૌભાગ્ય છે કે, છેલ્લાં આઠ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આશરે 3.5 કરોડ પરિવારોએ પોતાનું સૌથી મોટું ઘરનું સપનું સાકાર કર્યું છે. અમારી સરકાર ગરીબો માટે સમર્પિત છે. સરકાર ગરીબોની ઇચ્છા, મન અને જરૂરિયાતોને સૌથી વધુ સમજે છે અને તેમની તરફ સતત કામ કરી રહી છે.
On the occasion of Dhanteras, I extend my wishes to all the people of the nation. Dhanteras is marked with new beginnings. It is a new beginning for 4.5 Lakh beneficiaries of Madhya Pradesh: PM Modi at the Griha Pravesham programme in MP pic.twitter.com/aCTNLVV0kZ
3.5 કરોડ મકાનો તૈયાર
પીએમ મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધી લગભગ 3.5 કરોડ ઘર બની ચૂક્યા છે અને લગભગ 9થી 10 લાખ ઘર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ મારફતે દેશનાં દરેક ખૂણામાં રોજગારીની તકો પણ પ્રદાન કરવામાં આવી રહી છે.
Prime Minister Narendra Modi participates in the ‘Griha Pravesh’ of more than 4.5 lakh beneficiaries of PMAY-G in Madhya Pradesh, via video conferencing and inaugurates houses built under PM Awas Yojana (Gramin) pic.twitter.com/rECbM9Oo3Y
ગરીબોને પાકી છત આપવાની દિશામાં સરકારનું કામ
પીએમ મોદીએ કહ્યું કે અમે દેશના નાગરિકોને પાકા મકાનો, ગેસ, વીજળી, પાણી, મફત સારવાર સરળતાથી મળી રહે તે માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, "અમારી સરકાર દેશના દરેક ગરીબને તેની પાકી છત આપવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.