ખેડૂતોના આંદોલન વચ્ચે કૃષિ મંત્રીએ કહ્યું પરાળ સળગાવવા પર કેસ નહીં ચાલે રાજ્ય સરકાર આ અંગે નિર્ણય લેશે આ સાથે MSP અંગે ટૂંક સમયમાં એક સમિતીની પણ રચના કરાશે
પરાળ સળગાવવાનો કેસ નહીં ચાલે
કેસ અને વળતર અંગે રાજ્ય સરકારો નિર્ણય લેશે
MSP અંગે ટૂંક સમયમાં એક સમિતીની પણ રચના કરાશે
प्रधानमंत्री ने जीरो बजट खेती, फसल विविधीकरण, MSP को प्रभावी, पारदर्शी बनाने जैसे विषयों पर विचार करने के लिए समिती बनाने की घोषणा की है। इस समिती में आंदोलनकारी किसानों के प्रतिनिधि भी रहेंगे: केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर https://t.co/sah4MI5fhC
કૃષિ કાયદા અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે તેને રદ્દ કરવા માટેનું બિલ શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકની વિવિધતા, ઝીરો-બજેટ ફાર્મિંગ, MSP સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા અને તેનાથી સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરશે.
किसान संगठनों ने पराली जलाने पर किसानों को दंडनीय अपराध से मुक्त किए जाने की मांग की थी। भारत सरकार ने यह मांग को भी मान लिया है: केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर pic.twitter.com/MrGe33hGeg
કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેડૂતોના સંગઠનોએ પરાળ બાળવાને ગુનામુક્ત બનાવવાની માંગણી કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી છે. કૃષિ કાયદાના વળતર અંગે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે અમને દુઃખ છે કે ખેડૂતો કૃષિ કાયદાના ફાયદા વિશે સંગઠનોને સમજાવી શક્યા નથી.કૃષિમંત્રીએ કહ્યું કે, ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય બાદ આંદોલનનો કોઈ મતલબ નથી રહેતો. તેમણે કહ્યું કે, ખેડૂતોએ પીએમ મોદીની અપીલ માની ઘરે પાછા ફરવું જોઈએ .