પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની કેવડિયા માટે આઠ ટ્રેનને રવાના કરી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" વાળા કેવડિયા હવે રેલ કનેક્ટિવિટી સાથે જોડાયેલા છે.
PM મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 8 ટ્રેનને આપી લીલીઝંડી
પ્રધાનમંત્રીએ ગણાવી ઐતિહાસિક ક્ષણ
ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ સ્ટેશન
દેશના વિવિધ ભાગોથી મૂર્તિ જોવા માટે લોકોની અવરજવર થાય તે હેતુથી આ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનો ગુજરાતના કેવડિયાને અન્ય રાજ્યોના મોટા શહેરો સાથે જોડશે. જે શહેરોમાંથી રેલ્વે જોડાણ શરૂ કરવામાં આવ્યું છે તેમાં વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો
પ્રધાનમંત્રીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે, પ્રથમ વખત આઠ ટ્રેનોને એક સાથે કોઈ પણ એક જગ્યાએ લીલી ઝંડી આપવામાં આવી છે. પીએમએ કહ્યું, "આ જોડાણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે ફાયદાકારક બનશે પરંતુ તે કેવડિયાના આદિવાસી સમુદાયનું જીવન બદલવામાં પણ મદદ કરશે." તેમણે કહ્યું કે પ્રવાસન નકશા પર કેવડિયાના વિકાસથી ત્યાંના આદિવાસી સમુદાય માટે નવી નોકરીઓ અને સ્વરોજગારની તકો મળશે.
ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ સ્ટેશન
આ રેલ્વે પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે રેલવે પ્રધાન પિયુષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ સંબંધિત રાજ્યોના મુખ્ય પ્રધાન વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા. પીએમએ કહ્યું કે કેવડિયા દેશનું પહેલું ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ સ્ટેશન બન્યું છે.