પીએમ મોદી 11થી 12 વાગ્યાની વચ્ચે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉમેદવાની નોંધાવશે. પીએમ મોદી સવારે પહેલા કોતવાલ બાબા કાલભૈરવના દર્શન તેમજ પૂજા અર્ચન કરવા જાય તેવી સંભાવના છે. પીએમ મોદીની ઉમેદવારી નોંધાંવશે ત્યારે એનડીએના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય બનારસની મુલાકાતે ગઇકાલે પહોંચ્યા હતા. પીએમ મોદીએ ગુરૂવારે અહી કાશીમાં રોડ શો યોજ્યો હતો. બીએચયુથી નીકળેલા આ રોડ શોમાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. બનારસ આખું જાણે મોદીમય દેખાઇ રહ્યું હતું. હર-હર મોદી, ઘર-ઘર મોદીના નારાઓ રોડ શો દરમિયાન સાંભળવા મળતા હતા. ત્યારબાદ પીએમ મોદીએ ગંગા આરતીમાં જોડાયા હતા.
આજે પીએમ મોદીના પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી 11થી 12 વાગ્યાની વચ્ચે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉમેદવાની નોંધાવશે. પીએમ મોદી સવારે પહેલા કોતવાલ બાબા કાલભૈરવના દર્શન તેમજ પૂજા અર્ચન કરવા જાય તેવી સંભાવના છે. પીએમ મોદીની ઉમેદવારી નોંધાંવશે ત્યારે એનડીએના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
2014ની અપેક્ષાએ આ વખતે પીએમ મોદીની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ચૂંટણી લડી હતી. આ વખતે કોઇ દિગ્ગજ નેતાએ ઉમેદવારી નોંધાવી નથી.
પીએમ મોદીની ઉમેદવારીના સમયે જેડી(યુ) અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે, સુખબીર સિંહ બાદલ તેમજ એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જો કે તે પહેલા પીએમ મોદી બૂથ પ્રમૂખ અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરશે.