પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'સિકંદરાબાદમાં આગને કારણે આઠ લોકોના મોતથી દુઃખી છે.
સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક સ્કૂટર શોરૂમમાં આગ ફાટી નીકળી હતી
અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
તેલંગાણાની રાજધાની હૈદરાબાદની પાસે આવેલા સિકંદરાબાદમાં એક ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. જાણવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક બાઇકને ચાર્જ કરતી વખતે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે સમગ્ર શોરૂમને લપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. જણાવી દઈએ કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે.
#UPDATE | Death toll in the fire incident rises to 8: Chandana Deepti, DCP, North Zone, Hyderabad https://t.co/6MwdNqzFKh
લોકોએ બિલ્ડિંગ પરથી કૂદીને બચાવ્યો જીવ
શોરૂમની ઉપર એક લોજ હતી જેમાં ઘણા લોકો ફસાયા હતા. ત્યાં હાજર રહેલ લોકોએ અકસ્માત અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગ પહેલા ઈ-બાઈક શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી. આગના ધુમાડા શોરૂમના બીજા માળ સુધી પહોંચ્યા હતા. આગ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને એ પછી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ શોરૂમમાં ફસાયેલા 9 લોકોને બચાવ્યા હતા. આગને કારણે પહેલા અને બીજા માળે ધુમાડાના ગોટેગોટા ભરાયા હતા. જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો હતો. આ પછી લોકોએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો પણ ઘણા લોકો તેમાં ફસાઈ ગયા અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા.
Saddened by the loss of lives due to a fire in Secunderabad, Telangana. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each deceased. Rs. 50,000 would be paid to the injured: PM @narendramodi
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'સિકંદરાબાદમાં આગને કારણે આઠ લોકોના મોતથી દુઃખી છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.' આ સાથે તેમણે મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી.