પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નાસિક હોસ્પિટલ ઓક્સિજન દુર્ઘટનાના પીડિત પરિવારો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ નાસિક હોસ્પિટલ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
ગૃહમંત્રી અમિત શાહે પણ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યું
આ ઘટના પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજનની ટેન્ક લીકને કારણે જે ઘટના સર્જાઈ જે હૃદયદ્રાવક છે. લોકોના મોત અંગે દુખ છે. દુખની આ ઘડીમાં પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.
The tragedy at a hospital in Nashik because of oxygen tank leakage is heart-wrenching. Anguished by the loss of lives due to it. Condolences to the bereaved families in this sad hour.
ગૃહમંત્રી અમિત શાહે પણ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
ગૃહમંત્રી અમિત શાહે પણ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતતા ટ્વિટ કર્યું કે નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીકની બનેલી ઘટનાના સમાચાર સાંભળીને દુખ થયું. આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાના ગુમાવ્યાં છે તેમની આ ખોટ પર ઘેરી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો જલદીથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરુ છું.
नासिक के एक अस्पताल में ऑक्सिजन लीक होने से हुई दुर्घटना का समाचार सुन व्यथित हूँ। इस हादसे में जिन लोगों ने अपनों को खोया है उनकी इस अपूरणीय क्षति पर अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूँ। बाकी सभी मरीजों की कुशलता के लिए ईश्वर से प्रार्थना करता हूँ।
રાહુલ ગાંધીએ કહ્યું અત્યંત દુખદ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે નાસિકની જાકિર હુસેન હોસ્પિટલમાં દર્દીઓના મોતની ઘટના અત્યંત દુખદ છે. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. રાજ્ય સરકાર અને પાર્ટી કાર્યકરોને હરસંભવ મદદ કરવાની અપીલ કરું છું.
પીડિત પરિવારોને 5-5 લાખની સહાય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાસિક હોસ્પિટલ પીડિતના પરિવારોને 5-5 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસનો પણ આદેશ આપ્યો છે.
દોષીઓને કડક સજા કરાશે-મહારાષ્ટ્રના મંત્રી
મહારાષ્ટ્રના મંત્રી રાજેન્દ્ર શિંગળેએ જણાવ્યું કે અમને પ્રાથમિક માહિતી મળી છે કે આ ઘટનામાં 11 દર્દીઓના મોત થયા છે. આ ઘટનાની તપાસ બાદ દોષીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાસિકની જાકિર હુસેન હોસ્પિટલમાં ટેન્કમાંથી ઓક્સિજન લીક થતા 22 લોકોના દર્દનાક મોત થયા છે.બુધવારે બપોરે 2 ની આસપાસ હોસ્પિટલ પરિસરમાં પડેલી ટેન્કમાંથી ઓક્સિજન લીક થવા લાગ્યું હતું અને તેને પરિણામે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કોરોનાના દર્દીઓને ઓક્સિજન ઓછો મળવા લાગતા તેઓ તરફડવા લાગ્યા હતા અને આખરે તમામ 22 દર્દીઓ મોતને ભેટ્યા હતા.