પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ચૂંટાયેલી સરકારના સર્વાનુમતે નેતા તરીકે તેમણે 20 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ 2001માં તે સમયે ગુજરાતની કમાન સંભાળી હતી, જ્યારે ગુજરાતના કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ગુજરાત મોડેલની સફળતા પછી નરેન્દ્ર મોદીને ભાજપે 2013માં PM પદના ઉમેદવાર જાહેર કર્યાં.
ગુજરાત વિકાસ મોડલથી લઇને 21મી સદીના નવા ભારતના વિકાસ મૉડલને લઇને પીએમ મોદીના વિચારોને મળેલા સમર્થનમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી. 014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે પહેલી વખત સંપૂર્ણ બહુમતિ મેળવી.
સત્તા માં આવ્યાં પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના, મુદ્રા યોજના, જન સુરક્ષા યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, પીએમ આવાસ યોજના, સૌભાગ્ય યોજના, ભીમ-યૂપીઆઇ યોજના, આયુષ્યમાન ભારત અને પીએમ-કિસાન જેવા જનકલ્યાણ કાર્યક્રમ ચલાવ્યાં.
2019માં જનતાએ એક વાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને પ્રચંડ બહુમતિ આપી બીજી વખત દેશની સત્તા સોંપી. તેઓ ગેર-કોંગ્રેસી પ્રધાનમંત્રી તરીકે સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનારા પહેલા પ્રધાનમંત્રી પણ બન્યાં. આ અગાઉ અટલ બિહાર વાજપેયીના નામ પર આ રેકોર્ડ હતો.
PM મોદીનો ચૂંટણીલક્ષી રાજકારણમાં 20માં વર્ષમાં પ્રવેશ છે. જેને લઇ દેશભરમાં ભાજપ ઉજવણી કરશે. ભાજપ સમર્પણના 20 વર્ષ તરીકે ઉજવણી કરશે. પીએમ મોદીના નિર્ણયનો સોશિયલ મીડિયામાં મેસેજ કરાશે.