પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લગભગ 74 વર્ષ બાદ દેશમાં ફરી એક વાર ચિત્તા પાછા ફર્યા છે.
નામીબિયામાંથી આવેલા 8 ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા
આ ચિત્તાની દેખરેખ માટે અહીં ચિત્તા મિત્રની તૈનાતી કરવામા આવી છે
પીએમ મોદીએ આ ચિત્તા મિત્ર સાથે ખાસ વાત કરી હતી, જેનો વીડિયો સામે આવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લગભગ 74 વર્ષ બાદ દેશમાં ફરી એક વાર ચિત્તા પાછા ફર્યા છે. નામીબિયાથી લાવેલા 8 ચિત્તાને આજે મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે, જે તેમનું નવું ઘર હશે. કારણ કે, વિદેશમાંથી આવેલા ચિત્તાને જળવાયુ બદલાશે, એટલા માટે તેમને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
આ ચિત્તાની દેખરેખ માટે ત્યાં ચિત્તા મિત્રોને તૈનાત કરવામાં આવ્યા છે, જે ફક્ત ચિત્તાની સુવિધા જ નહીં પમ લોકોને પણ નજીક આવતા રોકશે. કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ આ ચિત્તા મિત્રોને મળ્યા અને તેમની સાથે વાત કરી હતી.
આ દરમિયાન ચિત્તાને લઈને પ્રધાનમંત્રી મોદીએ તેમને જે કહ્યું તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ ચિત્તા મિત્રોને કહ્યું કે, આપ જેવુ આ કામ શરુ કરશો, તો સૌથી પહેલા આપની સામે શું મુસિબત આવશે ?
#WATCH | Madhya Pradesh: Prime Minister Narendra Modi engages in an interaction with 'Cheetah Mitra' in Sheopur, post releasing 8 Cheetahs from Namibia in Kuno National Park pic.twitter.com/0UmH60E1TP
બાદમાં પીએમ મોદીએ કહ્યું કે, સૌથી મોટી સમસ્યા નેતા લોકો કરશે, મારા જેવા, હાલમાં કહેવાયુ હશે કે, થોડા દિવસ સુધી ચિત્તાને જોવા આવવાનું નથી. તેને સેટલ થવા દેવાના છે. બાદમાં તે મોટી જગ્યા પર જશે, જ્યાં થોડા દિવસ સેટલ થતાં થશે, પણ બાદમાં બધા નેતા લોકો આવશે. નેતાઓના સંબંધીઓ પણ આવશે. ટીવી કેમેરાવાળા આવશે. બ્રેકિંગ ન્યૂઝ આપવા આપશે, તે આપના પર પ્રેશર નાખશે, ઓફિસરો પર દબાણ કરશે.
પીએમ મોદીએ ચિત્તા મિત્રોને આગળ કહ્યું કે, આ આપનું કામ છે કે કોઈને ઘુસવા દેવા નહીં. હું આવું તો મને પણ ઘુસવા દેવો નહીં. મારા નામથી કોઈ મારો સંબંધી આવે તો પણ નહીં, ત્યારે તેમનો સમય પુરો થાય ત્યાર બાદ જ ઘુસવા દેવા.
હકીકતમાં પીએમ મોદીએ આવું એટલા માટે કહ્યું કેમ કે જ્યારે પણ કોઈ જાનવર એક દેશમાંથી બીજા દેશમાં શિફ્ટ થાય છે, તો ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, જેમ કે જેનેટિક્સ કેવા છે, વ્યવહાર કેવો છે. ઉંમર યોગ્ય છે કે નહીં, લિંગનું સંતુલન કેવું છે.
સાથે જ એક જાનવર એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, ત્યાં વાતાવરણ, રહેવા લાયક જગ્યાની સ્થિતિ, શિકારનો પ્રકાર વગેરે એડઝસ્ટ કરી શકશે કે નહીં.
આપને જણાવી દઈએ કે, જે 8 ચિત્તાને વિદેશથી લાવવામાં આવ્યા છે, તેમને શરુઆતમાં 6 વર્ગ કિમીવાળા ફેસિંગ વાડામાં રાખવામાં આવશે. જેથી તમામ ચિત્તા એકબીજા સાથે સંપર્ક સાધી શકે. એકબીજાને સમજી શકે. ચિત્તા સામાજિક પ્રાણી હોય છે. તે જૂથમાં રહે છે. એટલા માટે આ ત્રણ નર ચિત્તા અને પાંચ માદા ચિત્તા એકબીજાના સંપર્કમાં આવશે અને સંબંધ બનાવશે, ત્યારે તેમને વાડામાંથી મુક્ત કરવામાં આવશે.