સંબોધન દરમ્યાન ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી ભાવુક થયા
આજે ભરૂચ ખાતે 'ઉત્કર્ષ સમારોહ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જો કે આ સમારોહમાં સંબોધન દરમ્યાન PM મોદી ભાવુક થયા હતાં. સંબોધન દરમ્યાન એક ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી થોડોક સમય સુધી તો કંઇ જ ન બોલી શક્યા.
ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈ PM મોદી થયા ભાવુક
દીકરી પોતાના પિતાની આંખની બિમારી જોઈને ડૉક્ટર બનવા માંગે છે
આ કાર્યક્રમ દરમિયાન જુદી-જુદી યોજનાના લાભાર્થીઓએ PM મોદી માટે ખાસ વિશાળ રાખડી તૈયાર કરી હતી. આ બહેનો અને માતાઓએ પીએમ મોદીને ભાઈ અને દીકરા તરીકે તેમને આ રાખડી અર્પિત કરી હતી. તદુપરાંત વૃદ્ધ સહાય યોજનાથી લાભાન્વિત અયુબભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ સાથે સીધો સંવાદ સાધતી વખતે પીએમ મોદી ભાવુક થયા હતા. જ્યારે તેઓએ સાંભળ્યું કે, અયુબભાઈની દીકરી પોતાના પિતાની આંખની બિમારી જોઈને ડૉક્ટર બનવા માંગે છે અને જરુરિયાતમંદ લોકોની સેવા કરવા ઇચ્છે છે ત્યારે બાપ-દીકરી અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકો જ નહીં પરંતુ ખુદ PM મોદી પણ ભાવુક થઈ ગયા હતા.
'उत्कर्ष समारोह' के दौरान गुजरात में सरकारी योजनाओं के लाभार्थियों में से एक अयूब पटेल जी से बात करते हुए, प्रधानमंत्री श्री @narendramodi जी पटेल जी की बेटी के डॉक्टर बनने के सपने के बारे में सुनकर भावुक हो गए। यह प्रधानमंत्री जी की देशवासियों के प्रति संवेदनशीलता को दर्शाता है। pic.twitter.com/fCqaE5Ta6k
પ્રધાનમંત્રીની આ જ બાબત દેશવાસીઓ પ્રત્યેની સંવેદનશીલતાને દર્શાવે છે: નીતિન ગડકરી
આ અંગેનો VIDEO ખુદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ''ઉત્કર્ષ સમારોહ' દરમ્યાન ગુજરાતમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓમાંના એક અયુબ પટેલ સાથે વાતચીત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પટેલની દીકરીના ડૉક્ટર બનવાના સપના વિશે સાંભળતા ભાવુક થઇ ગયા. પ્રધાનમંત્રીની આ જ બાબત દેશવાસીઓ પ્રત્યેની સંવેદનશીલતાને દર્શાવે છે.'
આ ઉત્કર્ષ સમારોહમાં PM મોદીએ સંબોધન દરમ્યાન જણાવ્યું કે, "હકદારને સંપૂર્ણ લાભ મળવો જોઈએ. ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે. હું જે પણ શિખ્યો છું તે બધું તમારી પાસેથી જ શિખ્યો છું." આ સાથે તેઓએ જણાવ્યું કે, 'દેશમાં અમારી સરકારને 8 વર્ષ પૂર્ણ થયા. ચાર યોજનાઓથી અનેક વિધવા બહેનોને લાભ મળ્યા છે.'
ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા
અત્રે તમને જણાવી દઇએ કે, ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જેમા ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, રાષ્ટ્રીય પરિવાર સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે. એ સિવાય ઇ-સંકલન અને વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું.