વારાણસીમનાં સાતમા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ 2022ની વિધાનસભા ચૂંટણીમાં મારી અંતિમ જાહેરસભા છે. ભાજપે યુપીનો વિકાસ કર્યો છે. ભાજપને જીતાડો.
પ્રચાર કરવા વારાણસી પહોંચ્યા હતા મોદી
લોકોને કરી ભાવૂક અપીલ
અંતિમ જાહેરસભા હોવાની કરી જાહેરાત
વારાણસીમનાં સાતમા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ 2022ની વિધાનસભા ચૂંટણીમાં મારી અંતિમ જાહેરસભા છે. ભાજપે યુપીનો વિકાસ કર્યો છે. ભાજપને જીતાડો.
उत्तर प्रदेश ने दशकों से शायद ऐसा चुनाव नहीं देखा होगा।
ऐसा चुनाव जब सरकार अपने काम पर, अपनी ईमानदार छवि पर, भेदभाव और पक्षपात रहित विकास पर और सुधरी हुई कानून व्यवस्था के दम पर जनता-जनार्दन का आशीर्वाद मांग रही हो।
તેમણે વિપક્ષ પર આકરાં પ્રહારો કરતાં કહ્યું કે, તેમની સરકારોમાં તો ફક્ત રમખાણો જ થયા હતા. યુપીએ દાયકા સુધી આવી ચૂંટણી નથી જોઈ. જ્યાં વિકાસના કામ પર વોટ માગવામાં આવતા હોય. પ્રદેશને ભાઈ ભત્રીજાવાદની માયાજાળમાંથી મુક્તિ મળવી જોઈએ.
પરિવારવાદ પર કર્યો કટાક્ષ
વારાણસીમાં જનતાને સંબોધન કરતા પીએમ મોદીએ આગળ કહ્યું કે, સંકટમાં પરિવારવાદી પાર્ટી રાજકારણ કરે છે. રાજ્યમાં હવે રાષ્ટ્રવાદ અને વિકાસવાદના નામ પર વોટ માગવામાં આવી રહ્યા છે. પરિવારવાદીઓનો ઇતિહાસ યુપીને લૂંટવાનો જ રહ્યો છે.
સૌને અપીલ- અમને વોટ આપજો
તેમણે કહ્યું કે, યુક્રેન સંકટ પર પણ પરિવારવાદી પાર્ટીઓ રાજકારણ કરી રહી છે. ભારતની સરકાર દરેક બાળકોને યુક્રેનમાંથી સુરક્ષિત પાછા લાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે સૌને અપીલ કરી કે, તમે અમને વોટ આપજો. અમે ગરીબોના ઘરનો ચૂલો પ્રગટાવવાનો સંકલ્પ કર્યો છે.