સી-પ્લેનના વિરોધ હવે કોઈ રાજકીય પક્ષોએ નહીં પરંતુ જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કારણ કે, સરકાર દ્વારા શેત્રુંજી ડેમમાંથી સી-પ્લેન ઉડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ અહિંસામાં માનતો જૈન સમાજને સરકારની આ યોજનામાં હિંસા દેખાઈ રહી છે. જૈન સમાજ સી પ્લેન શરૂ ન થાય તેવી માગ કરી રહ્યો છે. જાણો સમગ્ર મામલો...
જૈન સમાજ દ્વારા સી-પ્લેનનો વિરોધ
શેત્રુંજી ડેમમાં સી-પ્લેન શરૂ ન કરવા માગ
સી-પ્લેનથી હિંસા ફેલાવાનો ડર
પાલીતાણા એટલે કે, જૈનોની નગરી, અહિંસાના પુજારીઓની નગરી. સરકાર આ પવિત્ર નગરીને પ્રવાસન તરફ લઈ જવા વિચારી રહી છે. આ નગરી સુધી વિશ્વના લોકો પહોંચે અને કુદરતનો સોંદર્ય નજારો માણે તે માટે પ્રયાસો કરી રહી છે. સી-પ્લેન શરૂ કરવા પાછળ સરકારનુ ઉદ્દેશ્ય પ્રવાસન છે. પરંતુ આ નગરીમાં વસતા અહિંસાના પૂજારીઓ સરકારની સી-પ્લેન યોજનાનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદથી શેત્રુંજી ડેમ સુધી સી-પ્લેન ઉડાવવાનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે, તેમના મને સી-પ્લેન શેત્રુંજી ડેમમાં ઉતરે અને પ્રવાસીઓ પાલીતાણામાં આવે તો હિંસા થઈ શકે છે.
કેમ જૈન સમાજ વારંવાર કરે છે વિરોધ?
જૈન સમાજના લોકોનું એવુ માનવું છે કે, શેત્રુંજીમાં સી-પ્લેન શરૂ થાય તો જીવોની હિંસા થશે. જળચર પ્રાણીઓ અને પક્ષીઓ તેનો ભોગ બનશે. પવિત્ર શેત્રુંજી પર્વતને નુકસાન થશે. જો સરકાર ટુરિઝમને વધારવા માગે છે તો નજીકમાં જ ભાગનગર આવેલું છે. ત્યાં એરપોર્ટ પણ છે. શેત્રુંજીમાં સી-પ્લેનનું આયોજન વ્યર્થ વિનાનું છે.
મહત્વનું છે કે, આ વર્ષે સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ છલકાઈ ગયો છે. સી-પ્લેન ઉડાવવા માટે જે પ્રકારનું જળસ્તર જોઈએ તે પ્રકારનું જળસ્તર પણ જોવા મળી રહ્યું છે. તેવામાં સરકારે પણ સી-પ્લેન શરૂ કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, જૈન સમાજના વિરોધ વચ્ચે અમદાવાદથી-શેત્રુંજી સુધી સી-પ્લેન ક્યારે ઉડાન ભરે છે.