પ્રધાનમંત્રી મોદીએ નવા મંત્રીઓ માટે ત્રણ ત્રણ લક્ષ્મણરેખા નક્કી કરી છે, મંત્રીઓને કહ્યું કે ભ્રષ્ટાચાર સહન નહીં થાય, જવાબદારી સમજો તથા જશ્ન ન મનાવો.
પ્રધાનમંત્રી મોદીએ નવા મંત્રીઓ સાથે બેઠક કરી
નવા મંત્રીઓને પીએમ મોદીએ આપ્યા 3 મંત્ર
ભ્રષ્ટાચાર સહન નહીં થાય-મોદીએ મંત્રીઓને જણાવી દીધું
મંત્રીઓ જવાબદારીથી કામ કરે
પ્રધાનમંત્રી મોદીએ નવા મંત્રીઓને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે તેમન સરકારમાં ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલેરેન્સ પોલિસી છે.
જવાબદારીને સમજો, લક્ષ્યની ઉપેક્ષા ન કરો
પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને તેમની જવાબદારી સમજીને તથા લક્ષ્યની ઉપેક્ષા ન કરવાનું પણ જણાવ્યું છે. મોદીએ મંત્રીઓને કહ્યું કે તમારુ કામ પહેલા સમજી લો જેથી કરીને ક્યારેય પણ લોકો તમારી સામે આંગળી ન ઉઠાવી શકે. સરકારની મજાક ઉડે તેવા પણ કામો ન કરવા જોઈએ.
મંત્રી બન્યા તેના માનમાં ખુશી ન મનાવો, કોરોના પ્રોટોકોલનું પાલન કરો
મોદીએ નવા મંત્રીઓને જશ્ન ન મનાવવાનું તથા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનુ પણ જણાવ્યું છે. મોદીએ મંત્રીઓને મીડિયાની લાઈમલાઈટથી બચવાની પણ સલાહ આપી છે.
મોદી મંત્રી મંડળના વિસ્તાર અને ફેરફાર બાદ હવે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નવા મંત્રીઓ સાથે આજે પીએમ મોદીએ તાબડતોબ બેઠક બોલાવી છે. કિકતમાં આની પહેલા દેશમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવા પીએમે ગત મહિને મંત્રી પરિષદની બેઠક કરી હતી. તેમણે બેઠકમાં પોતાના મંત્રીઓને આવો માહોલ બનાવી રાખવા માટે કહ્યુ છે. આ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિતના તે રાજ્યોના પ્રતિનિધિઓ વધારે જોવા મળ્યા જ્યાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે.
બેઠકમાં અનેક જાણીતા ચહેરા ગાયબ રહેશે
આજની બેઠકમાં અનેક જાણીતા ચહેરા ગાયબ રહેશે. જે ગત કેટલાક સમયથી મોટાભાગે કેબિનેટથી લઈને મંત્રીપરિષદની બેઠરમાં જોવા મળતા હતા. એટલે કે ગુરુવારની બેઠકમાં અનેક ઉલ્લેખનીય નામ ગાયબ થઈ જશે. જેમના કેબિનેટના ફેરફફારમાં છુટ્ટી થઈ ગઈ છે. કેબિનેટ વિસ્તાર દરમિયાન નવા નામ સામેલ થશે તો અનેક મંત્રીઓના વિભાગમાં ફેરફાર થયા છે. ઉલ્લેખનીય છે કે 2019માં મોદી સરકારના બીજી વાર સત્તામાં આવ્યા બાદ આ પ્રકારની પહેલી કાર્યવાહી થઈ છે જ્યાં કેબિનેટમાં ફેરફાર અને વિસ્તાર થયો હોય.