વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના નાના દુકાનદારોને એક મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ રેકડી અને લારીવાળાઓને 10,000 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. ભારતના અર્થતંત્રમાં રેકડી અને લારીવાળાઓની મહત્ત્વની ભૂમિકાને હોવાથી મોદી સરકારે તેમની પ્રામાણિકતાની ભાવનાની પ્રશંસા કરી અને કહ્યું કે ગરીબો ક્યારેય પણ પ્રામાણિકતા અને આત્મ-સન્માન સાથે બાંધછોડ કરતા નથી અને આજે આખો દેશ તેમના પરિશ્રમનું સન્માન કરી રહ્યું છે.
રેકડી અને લારીવાળા મોદી સરકારે આપી મોટી ભેટ
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ રેકડી અને લારીવાળાઓને 10,000 હજાર રૂપિયા સુધીની લો
પીએમ મોદીએ જણાવ્યું કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન સરળતાથી મળી રહે છે અને સમયસર ચુકવણી પર વ્યાજમાં 7%ની છૂટ મળશે અને જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો છો, તો એક મહિનામાં 100 રૂપિયા કેશબેક તરીકે તમારા એકાઉન્ટમાં પાછા જમા કરવામાં આવશે.
पीएम स्वनिधि योजना में ऋण आसानी से उपलब्ध है और समय से अदायगी करने पर ब्याज में 7% की छूट भी मिलेगी।
अगर आप डिजिटल लेन-देन करेंगे तो एक महीने में 100 रुपये तक कैशबैक के तौर पर वापस पैसे आपके खाते में जमा होंगे।
તમને જણાવી દઇએ કે કોરોના સંકટ અને લોકડાઉનને કારણે રેકડી અને લારીવાળાઓની આજીવિકા પર મોટી અસર થઈ છે. કેન્દ્ર સરકારે આવા લોકોની મદદ કરવા માટે 01 જૂન 2020એ સ્વનિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ રેકડી અને લારીવાળાઓને કોઈ ગેરંટી વિના 10,000 રૂપિયા સુધીની લોન મળે છે.
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 24 લાખથી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 12 લાખ અરજીઓને મંજૂરી મળી ચૂકી છે અને લગભગ 5.35 લાખની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 6 લાખથી વધુ અરજીઓ આવી છે જેમાંથી 3.27 લાખને મંજૂરી મળી છે અને 1.87 લાખની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.