જી-20 સંમેલનમાં ભાગ લેવા જાપાનના ઓસાકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશો સાથે અનૌપચારિક બેટકમાં આતંકવાદ મુદ્દે નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ વિશ્વ સામે સૌથી મોટો ખતરારૂપ છે.
આપણે આતંકવાદ વિરુધ્ધની કાર્યવાહીને પ્રાથમિકતા આપવી પડશે. તેના માટે બધા રસ્તા બંધ કરી દેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કડક વલણ અપનાવતાં કહ્યું કે આતંકવાદના મુદ્દે એક ગ્લોબલ કોન્ફરન્સ થવી જોઇએ. પીએમ મોદીએ કહ્યું આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે.
આ માત્ર માસૂમ વ્યક્તિઓની હત્યા નથી કરતો, પરંતુ આર્થિક વિકાસ અને સાંપ્રદાયિક સદ્દભાવનાને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. જાપાનના ઓસાકામાં ચાલી રહેલી G-20 સમિટમાં PM મોદીએ બ્રિક્સ દેશના નેતાઓ સાથે પણ બેઠક કરી. આ દરમિયાન પીએમ મોદીએ વિશ્વના દેશો સામે 3 પડકાર હોવાનું જણાવ્યું.
જેમાં અર્થતંત્રમાં મંદી, વિકાસની સાથે પર્યાવરણની સાચવણી અને આતંકવાદ. આ ત્રણેય પડકાર સામે લડવાની વાત કરી છે. PM મોદીએ કહ્યું કે આતંકવાદ દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. આતંકવાદ સામે લડવા એકતા જરૂરી છે. આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષને પ્રાથમિકતા આપવી પડશે.
આ સાથે જ PM મોદીએ કહ્યું કે સામાન્ય લોકો માટે ઈંધણ અને ગેસ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવા જોઈએ. બ્રાજિલિયામાં યોજાનાર બ્રિક્સ સમિટની હું રાહ જોઈ રહ્યો છું. ભારત એ સમિટને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગ આપશે.