પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ ગુરુવારે મોડી રાતે સ્વદેશ આવવા રવાના થયા છે. આ શિખર સંમેલનના સમયે બ્રિક્સના સભ્ય દેશોએ વ્યાપાર, નવોન્મેષ, પ્રૌદ્યોગિકી અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા વિષે વાતચીત કરવામાં આવી હતી.
BRICS સંમેલન પૂર્ણ
PM મોદી સ્વદેશ પરત આવવા થયા રવાના
બ્રિક્સ શિખર સંમેલન સાર્થક રહ્યુંઃ PM મોદી
ઉલ્લેખનીય છે કે પાંચ સૌથી ઉભરતી અર્થવ્યવસ્થાઓ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે PM મોદી બુધવારે બ્રાઝિલની રાજધાની બ્રાસીલિયા પહોંચ્યા હતા.
PM મોદીએ ટ્વિટ કર્યું છે કે બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલન સાર્થક રહ્યું છે. અમે વ્યાપાર, નવોન્મેષ, પ્રૌદ્યોગિકી અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા વિષે વાતચીત કરી હતી. આ સાથે ભાવિ વિષયો પર ધ્યાન આપવાથી ચોક્કસ સહયોગ અને ખાસ અસર થશે તે પણ નક્કી છે. આપણને અને સંબંધિત દેશોને તેનો લાભ મળશે.
Prime Minister Narendra Modi speaks at the dialogue with BRICS Business Council and New Development Bank: I would like to request BRICS nations and New Development Bank to join coalition for disaster resilient infrastructure. #Brazil#BRICSSummithttps://t.co/0P2cIaQq1Mpic.twitter.com/hrbszDX25p
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 6ઠ્ઠી વખત બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો છે. તેઓએ વર્ષ 2014માં ફોર્ટાલેજામાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો. આ શહેર પણ બ્રાઝિલમાં જ છે.
વિદેશ મંત્રાવયના પ્રવક્તા રવિશ કુમારે ટ્વિટ કર્યું છે કે બ્રિક્સમાં પરસ્પરના સંબંધો મજબૂત બન્યા છે. પીએમ મોદી બ્રિક્સના 11માં સંમેલનના સફળ સમાપન બાદ સ્વદેશ માટે રવાના થયા છે. આ સંમેલનમાં બ્રિક્સ દેશોને અનેક નવા ક્ષેત્રમાં સહયોગ મળી શકે તેમ છે અને અનેક મહાત્વાકાંક્ષી રસ્તાઓ પર પણ આગળ વધી શકાય તેમ છે.