પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના થાઈલેન્ડના પ્રવાસે જવાના રવાના થયા છે. આ દરમિયાન તેઓઆસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ ઈન્ડિયા અને રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનર સમિટમાં ભાગ લેશે. આજે પ્રથમ દિવસે પીએમ મોદી ભારતીયોને સંબોધન કરશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગુરૂનાનક દેવની 550મી જયંતીએ એક સિક્કો પણ જાહેર કરાશે. ત્યારબાદ બીજા દિવસે પીએમ મોદી આસિયાન-ઈન્ડિયા સમિટમાં સામેલ હાજરી આપશે. આસિયાન સમિટમાં આવવા માટે મોદીને થાઈલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાને આમંત્રણ આપ્યું છે.
Prime Minister Narendra Modi will address ‘Sawasdee PM Modi’ community programme in Bangkok, today. https://t.co/TAOOr1s6bL
વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સચિવ વિજય સિંહ ઠાકુરે જણાવ્યું કે, આસિયાનથી સંબંધિત સમિટ અમારા ડિપ્લોમેટિક કેલેન્ડરનો હિસ્સો છે. આ વડાપ્રધાન મોદીની સાતમી આસિયાન-ઈન્ડિયા સમિટ અને છઠ્ઠી ઈસ્ટ ઈન્ડિયા સમિટ હશે.
Delhi: Prime Minister Narendra Modi departs for a 3-day visit to Thailand. He will participate in the Association of Southeast Asian Nations (ASEAN), East Asia, and Regional Comprehensive Economic Partnership (RCEP) summits, during the visit. pic.twitter.com/UmGsVHBMOV
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો ઉદ્દેશ ભારત અને આસિયાન દેશોના સંબંધો મજબૂત કરવાનો છે. પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસ દરમિયાન ઘણા સમજૂતી કરારો પણ થશે. તેમાં આસિયાન દેશોના વિદ્યાર્થીઓને ભારતની IIT સંસ્થાઓમાં 1 હજાર પીએચડી સ્કોલરશીપ આપવાનો પ્રસ્તાવ પણ છે.