મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધન સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમત મળતા દેખાઇ રહ્યા છે, જ્યારે હરિયાણામાં તેઓ જાદુઇ નંબરથી દૂર રહી ગઇ છે. ચૂંટણી પરિણામો પર મંથન માટે ભાજપના સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ બેઠક મળી હતી. આ બેઠક દિલ્હીમાં પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી.
દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા બેઠક હાજર
પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા
ચૂંટણી પરિણામ પર પીએમ મોદીએ કહ્યું- 50 વર્ષ બાદ મહારાષ્ટ્રમાં ટકાઉ મુખ્યમંત્રી મળ્યા
દિલ્હી ભાજપ કાર્યાલય પર PM મોદીનું સંબોધન
પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ ભાજપ પ્રત્યે જે વિશ્વાસ રાખ્યો છે તેના માટે હું આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે દિવાળી પહેલા જનતાએ આશીર્વાદ આપ્યા. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ મહારાષ્ટ્ર એકમ અને ભાજપ હરિયાણા એકમના તમામ પદાધિકારી, તમામ કાર્યકર્તા, તેમણે પણ જનતાનો વિશ્વાસ જીતવામાં અથાગ પ્રયાસ કર્યા, લોકોના આશીર્વાદ મેળવ્યા, તેમનો પણ ખુબ ખુબ આભાર માનું છું.
પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાનો આભાર માન્યો હતો. હરિયાણા અને મહારાષ્ટ્ર ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા. પીએમએ કહ્યું કે, મહારાષ્ટ્ર, હરિયાણાને ગતવખતે નવા CM મળ્યા હતા. બંને મુખ્યમંત્રીઓ અગાઉ મંત્રીપદે પણ રહ્યા ન હતા. હરિયાણામાં ગત વખતે માત્ર 2 બેઠકની લીડ હતી. હરિયાણામાં સૌના સાથ સૌના વિકાસ પર કામ કર્યુ. આવનારા 5 વર્ષ બંને રાજ્યો વિકાસની ઉંચાઈએ પહોચશે.
રાજકીય વિશ્લેશકોના મતે હરિયાણામાં અભૂતપૂર્વ વિજય થયો છે. હરિયાણામાં સરકાર રિપિટ થવાની સંભાવના નહીવત છે. હરિયાણામાં ફરીથી મોટો પક્ષ બનીને આવવુ મહત્વની બાબત છે. ગયા વખત કરતા 3 ટકા વધારે મત પ્રાપ્ત કરવાનો ગૌરવ છે. હરિયાણામાં ફરી જીતીને આવવુ અભૂતપૂર્વ છે.
ચૂંટણી પરિણામ પર પીએમ મોદીએ કહ્યું- 50 વર્ષ બાદ મહારાષ્ટ્રમાં ટકાઉ મુખ્યમંત્રી મળ્યા
મહારાષ્ટ્રમાં ભાજપ જૂનિયર પાર્ટનર રહેતુ હતું. 50 વર્ષમાં મહારાષ્ટ્રમાં એકપણ CM 5 વર્ષ પૂરા ન કરી શક્યા. પરંતુ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં 5 વર્ષ પૂર્ણ કર્યા. ભાજપ-શિવસેનાએ 5 વર્ષ સુધી મળીને શાસન કર્યુ છે. આ વખતે ગઠબંધને ભારે બહુમત સાથે ફરી જીત મેળવી છે. મહારાષ્ટ્ર સરકાર પર કોઈ દાગ નહીં. કેન્દ્રની યોજના BJP શાસિત રાજ્યોમાં ઉત્સાહથી લાગૂ થાય છે.