આજે પીએમ મોદી બાંગ્લાદેશના બીજા અને અંતિમ દિવસે બંને દેશ વચ્ચે લગભગ 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. ત્યારે આજે પીએમએ જેશોરેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી.
PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો બીજો દિવસ
જેશોરેશ્વરી કાલી મંદિરમાં PM મોદીએ કર્યા દર્શન
બંને દેશ વચ્ચે 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે
PM મોદી શુક્રવારે બાંગ્લાદેશના 2 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આજે પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ છે. પહેલો દિવસ રાજકીય રીતે ખાસ રહ્યો અને સાથે આજે રાજનીતિક સંદેશથી ભરપૂર રહી શકે છે. જેશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ PM મોદીએ કહ્યું માં કાલી કોરોનાથી મુક્તિ અપાવે.
બીજા દિવસે PM મોદી કર્યા કાલી મંદિરના દર્શન
PM મોદીએ બીજા દિવસે સૌથી પહેલાં જેશોરેશ્વરી કાલી મંદિરમાં દર્શન કર્યા છે. આ મંદિરને 51 શક્તિપીઠમાંની એક માનવામાં આવે છે.
#WATCH Prime Minister Narendra Modi offers prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur, during his two-day visit to Bangladesh pic.twitter.com/0SDItuidE9
PM મોદી આ જગ્યાઓએ પણ જશે, મ્યુઝિયમ અને ટ્રેનનું કરશે ઉદ્ધાટન
એટલું જ નહીં PM મોદી આજે ઓરાકાંડીના મતુઆ સમુદાયના મંદિરમાં પણ જશે. ઓરાકાંડી એ જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપર હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. મતુઆ સમુદાય બંગાળની ચૂંટણીમાં વોટને માટે મહત્વનું છે. શનિવારે એટલે કે આજે પીએમ મોદી ગોપાલગંજમાં શેખ મુજીબ ઉર રહમાનની કબર પણ જશે. આમ કરનારા આ પહેલા ભારતીય નેતા હશે. મોદી બંગબંધુ-બાપુ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. બંને દેશા નેતા ભારત- બાંગ્લાદેશની વચ્ચે ચાલનારી પેસેન્જર ટ્રેનનું ઉદ્ધાટન કરશે.
Bangladesh: Prime Minister Narendra Modi offers prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur, Satkhira district.
પીએમ મોદી બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે વાત કરશે. આ સાથે બંને દેશની વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર કરાશે, બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમિને પીએમ મોદીના પ્રવાસ પહેલા કહ્યું કે બંને દેશો વચ્ચે અંદાજે 5 કરાર પર હસ્તાક્ષર કરવાની આશા છે. આ સિવાય અનેક પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન પણ કરાશે. આ પછી શનિવારે સાંજે દિલ્હી પર ફરતા પહેલાં પીએમ મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામીદની પણ મુલાકાત કરશે.
આવો છે પીએમ મોદીનો બીજા દિવસનો બાંગ્લાદેશ પ્રવાસનો કાર્યક્રમ