દેશમાં વિવિધ સ્થળો પર ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી કૂચના નારા સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે મન કી બાતમાં પીએમ મોદીએ આ જ નવા કાયદાનો ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીએ મન કી બાતના માધ્યમથી દેશને કર્યું સંબોધન
સંબોધનમાં પીએમ મોદીએ નવા ખેતી વિષયક કાયદાના ફાયદા ગણાવ્યા
પીએમ મોદીએ વિવિધ ઉદાહરણ આપીને જણાવ્યા ફાયદા
પીએમ મોદીએ પોતાના રેડિયો પ્રોગ્રામમાં નવા કાયદા પર ખેડૂતોનું મન બદલવાનો પ્રયત્ન કર્યો. તેમણે ખેડૂતોનું ઉદાહરણ આપીને તેના ફાયદા જણાવ્યા. નોંધનીય છે કે આ કાયદાને વિપક્ષી દળો કાળા કાયદા તરીકે વર્ણવી રહ્યા છે.
શું કહ્યું પીએમ મોદીએ
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ખેતી અને તેના સાથે જોડાયેલી વસ્તુ ઓ સાથે નવા સ્વરૂપ જોડાયા છે. નવા કાયદાઓ લાવીને નવી તકો માટે દ્વાર ખુલ્યા છે. આ અધિકારોએ ખૂબ ઓછા સમયમાં ખેડૂતોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ વિચાર-વિમર્શ બાદ જ ભારતની સંસદે આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. આ સુધારા ખેડૂતોના અનેક બંધન સમાપ્ત કર્યા અને સાથે સાથે નવા કાયદાથી નવા અધિકાર પણ મળ્યા છે અને અવસર પણ મળી રહ્યા છે.
આ રીતે આપ્યા ઉદાહરણ
નોંધનીય છે કે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મહારાષ્ટ્રના એક ખેડૂત જીતેન્દ્ર ભોઈજીનું ઉદાહરણ આઓયું હતું અને કહ્યું કે આ નવા કાયદાનો લાભ ઉઠાવીને આ ખેડૂતો પોતાનું બાકીના નાણા વસૂલ કર્યા. તેમણે કહ્યું કે આ કાયદામાં એક મોટી વાત છે કે આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે ક્ષેત્રના SDMએ એક મહિનાની અંદર જ ખેડૂતોને પૈસા આપી દેવા પડશે.
महाराष्ट्र के धुले ज़िले के किसान, जितेन्द्र भोइजी ने, नये कृषि कानूनों का इस्तेमाल कैसे किया, ये आपको भी जानना चाहिये.....#MannKiBaatpic.twitter.com/wayyASzExF
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) November 29, 2020
રાજસ્થાનના ખેડૂતનો ઉલ્લેખ
પીએમ મોદીએ વધુ એક ખેડૂત મોહમ્મદ અસલમની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે મોહમ્મદ અસલમ ખેડૂતોમાં જાગરૂકતા ફેલાવી રહ્યા છે. રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતા અસલમ એક ખેડૂત ઉત્પાદક સંઘના CEO પણ છે. તેમણે કહ્યું કે આશા છે કે મોટી મોટી કંપનીઓના CEOsને આ સાંભળીને સારું લાગશે કે હવે દેશના છેવાડાના ગામડાઓમાં પણ ખેડૂત સંગઠનના CEO છે.
"किसानों में जागरूकता बढ़ाने का ऐसा ही एक काम कर रहे हैं, राजस्थान के बारां जिले में रहने वाले मोहम्मद असलम जी।
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) November 29, 2020
શું છે આંદોલનનો મામલો
નોંધનીય છે કે દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો ત્રણ દિવસથી દિલ્હી માર્ચનો નારો આપીને આંદોલન કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પોલીસ સાથે ખેડૂતોની ઝપાઝપીના દ્રશ્યો પણ દેશે જોયા છે, અને હાલમાં ખેડૂતોને સરકાર દ્વારા બુરાડીના મેદાનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે.