દેશભરમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે PM મોદીએ કોરોનાની વેક્સિન લીધી હતી. અને આ અંગે અમદાવાદના તબીબોએ પણ પોતાની રાય રજૂ કરી હતી.
PM મોદીએ વેક્સિન લીધા બાદ ડોક્ટરોની આવી પ્રતિક્રિયા
દેશની જનતા વેક્સિન માટે જાગૃત બનશે -તબીબ
વેક્સિન સુરક્ષિત હોવાનો PM મોદીએ મેસેજ આપ્યો-તબીબ
આજથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના રસી અપાશે. ગંભીર બિમારી ધરાવતા લોકોને રસી આપવામાં આવશે અને રજિસ્ટ્રેશન કરાવેલા લોકોને જ રસી અપાશે. સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં રસી આપવામાં આવશે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની વેક્સિન લીધી હતી જેને લઈને અમદાવાદના ડોક્ટરોએ પ્રતિક્રિયા આપી હતી કે, વેક્સિનેશન સુરક્ષિત હોવાનો ખુદ વડાપ્રધાન મોદીએ પુરાવો આપ્યો છે.
શું કહે છે ડોક્ટર
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિન લીધી છે ત્યારે અમદાવાદના ડોક્ટર્સે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, ખરેખર આ એક ગર્વ લેવા જેવી બાબત છે અને વડાપ્રધાને પોતે આ કોરોના વેક્સિન લઈને લોકોને ખાતરી આપી છે કે તે સેફ છે. અનો કોરોનાથી બચવા માટે તે લેવી જોઈએ.
કોરોના વેક્સિનેશનનો આજથી બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. આ સાથે જ પીએમ મોદીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. પીએમ મોદીએ વહેલી સવારે નવી દિલ્લીમાં એઇમ્સ ખાતે પહોંચી અને કોરોના વેક્સિન લીધી. આ સાથે જ પીએમ મોદીએ લોકોને વેક્સિન લગાવા માટે અપીલ કરી.પીએમ મોદીએ કહ્યું, મેં એઇમ્સમાં કોરોના વેક્સિનનો મારો પહેલો ડોઝ લીધો છે. આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટર અને વૈજ્ઞાનિકોએ કોરોના સામે વૈશ્વિક લડાઇને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. હું એ તમામને વેક્સિન લગાવા અપીલ અપીલ કરું છું, જે વેક્સિન લેવા માટે યોગ્ય છે. પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. અને પુડુચેરીની સિસ્ટર નિવેદાએ પીએમ મોદીએ વેક્સિન લગાવી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી
PM મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ આજે જ લીધો હતો. દિલ્લીની AIMS હોસ્પિટલમાં PM મોદીને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ અંગે વડાપ્રધાને ટ્વીટ પણ કર્યુ હતુ.
મેં એઇમ્સમાં કોરોના વેક્સિનનો મારો પહેલો ડોઝ લીધો છે. આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટર અને વૈજ્ઞાનિકોએ કોરોના સામે વૈશ્વિક લડાઇને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. હું એ તમામને વેક્સિન લગાવા અપીલ અપીલ કરું છું, જે વેક્સિન લેવા માટે યોગ્ય છે.
ગુજરાતમાં 2050 હોસ્પિટલમાં રસી મળશે
60 વર્ષ કરતા વધું ઉંમરના 60 લાખ કરતા વધુ લોકો નોંધાયા છે. રાજ્યની 2050 હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રમાં રસી અપાશે જેમાં 534 ખાનગી હોસ્પિટલમાં પણ રસીકરણ કરવામાં આવશે ખાનગી હોસ્પિટલમાં રસી માટે 250 રૂપિયા ચાર્જ રહેશે. રસી માટેનો ચાર્જ ઓનલાઇન ચૂકવવાનો રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ વરિષ્ઠ નાગરિકોને રસી લેવા અપીલ કરી છે.
કેવી રીતે લઇ શકશે વેક્સિન?
વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
ભારત સરકારે કોવિન 2.0 પોર્ટલ લોન્ચ કર્યુ છે
cowin.gov.in પરથી લોગ-ઇન કરી શકાશે
આરોગ્ય સેતુ એપ પરથી પણ કરી લોગ-ઇન કરી શકશો
મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવા પર OTP મળશે
OTP મેળવ્યા બાદ તમારૂ એક એકાઉન્ટ બનશે
નામ,ઉંમર,જાતિ અને ઓળખપત્રની વિગત આપવાની રહેશે
એક એકાઉન્ટમાં પરિવારના 4 સભ્યોને ઉમેરી શકશો
રજિસ્ટ્રેશન માટે ઓળખ પત્રની જરૂરત હશે જેના આધાર પર નક્કી કરાશે વેક્સિન અપાશે કે નહીં