કોરોના સંકટની વચ્ચે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતી વખતે 20 લાખ કરોડ રૂપિયાના મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. પીએમ મોદીએ તેને આત્મનિર્ભર ભારત પેકેજ નામ આપ્યું છે. પીએમ મોદીનું આ પેકેજ આ બાબતમાં ઐતિહાસિક છે કે તે અત્યાર સુધીમાં 20 લાખ કરોડનું સૌથી મોટું આર્થિક પેકેજ છે. હવે વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયામાંથી માત્ર 13.56 લાખ કરોડના પેકેજની ઘોષણા બાકી છે, જે સરકાર અનેક ટુકડાઓમાં કરી શકે છે.
ભારતીય રિઝર્વ બેંકે 2 તબક્કામાં રાહત પેકેજની જાહેરાત કરી છે
પીએમ મોદી હવે 13.56 લાખ કરોડના પેકેજની જાહેરાત કરશે
રોકડ પ્રવાહને વહેતો કરવા માટે સરકાર હવાતિયા મારી રહી છે
મંગળવારે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધન કરતાં પીએમ મોદીએ એક મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ પીએમ મોદીએ કહ્યું કે આ પેકેજમાં નાણા પ્રધાન અને આરબીઆઈ દ્વારા અગાઉ કરાયેલી રાહતની જાહેરાતો પણ જોડાયેલ છે, તેથી હવે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે કે બાકી પેકેજ કેટલું હશે અથવા કેટલું બાકી છે.
હકીકતમાં, અત્યાર સુધીમાં ભારતીય રિઝર્વ બેંકે બે તબક્કામાં આશરે 4.74 લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે સૌથી પહેલા 27 માર્ચે રિઝર્વ બેંકે રોકડ વધારવાના અનેક ઉપાયોની જાહેરાત કરી હતી અને રેપો રેટમાં 75 બેસિસ પોઇન્ટમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સીઆરઆર ઘટાડીને 4 થી 3 ટકા કરાયો હતો. પહેલો ટાર્ગેટ લાંબા ગાળાનો રેપો ઓપરેશન (TLTRO) દ્વારા સિસ્ટમમાં રૂ .1 લાખ કરોડના રોકડ પ્રવાહની વાત કરવામાં આવી હતી.
આનાથી લગભગ 3.74 લાખ કરોડ રુપિયાની રોકડ સિસ્ટમમાં આવવાની વાત કરવામાં આવી રહી હતી. 17 એપ્રિલે રિઝર્વ બેંકે ફરીથી 1 લાખ કરોડના રોકડનો પ્રવાહ વધારા પગલાં લીધાં. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1.7 લાખ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને મદદ કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ રીતે આશરે 6.44 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ પ્રાપ્ત થયેલ પેકેજો નીચે મુજબ છે.
1. ગરીબ કલ્યાણ યોજના પેકેજ
કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણ યોજના હેઠળ રૂ. 1.7 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી. આ અંતર્ગત સીધા ગરીબોના ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે.
2. TLTR0 1
27 માર્ચે ભારતીય રિઝર્વ બેંકે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સીઆરઆરમાં કાપ મુકી દીધો હતો અને ટાર્ગેટ લોન્ગ ટર્મ રેપો ઓપરેશન (ટીએલટીઆરઓ) ની ઘોષણા કરી હતી. જેમાં સિસ્ટમમાં 3.74 લાખ કરોડની રોકડ લાવવાની વાત કરવામાં આવી હતી.
આરબીઆઈના ગવર્નરે કહ્યું કે કોરોના વાયરસને કારણે રોકડ પ્રવાહમાં પડકારનો સામનો કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે. કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) 100 બેસિસ પોઇન્ટ ઘટાડીને 3 ટકા કરાયો છે. રિઝર્વ બેંકે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન એટલે કે TLTR0 1ની જાહેરાત કરી. રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રિવર્સ રેપો રેટ 4% થી ઘટીને 3.75%થઈ ગઈ છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેંકોને રોકડનો લાભ થશે. ભારતીય રિઝર્વ બેંકેને TLTR0 1 હેઠળ બેંકિંગ સિસ્ટમમાં 1 લાખ કરોડ રૂપિયાની રોકડ રકમ નાંખવાની જાહેરાત કરી હતી.
3. TLTR0 2
આ પછી 17 એપ્રિલના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરીથી ઘણી જાહેરાતો કરી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ 19ના નાના અને મધ્યમ કદના કોર્પોરેટરને રોકડની તંગીને સામનો કરવો પડ્યો છે. તેથી 50,000 કરોડ રૂપિયાના ટાર્ગેટેડ લોન્ગ- ટર્મ રેપો ઓપરેટિંગ (TLTRO 2.0) ની જાહેરાત કરવામાં આવી.
આ સિવાય આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાબાર્ડ, સિડબી, એનએચબીની ભૂમિકા ગ્રામીણ વિસ્તારો અને એનબીએફસી વગેરેના ઉધારના પ્રવાહ માટે મહત્વપૂર્ણ છે. કોરોના દરમિયાન સંસ્થાઓને બજારમાંથી ઉઘાર મેળવવું મુશ્કેલ છે. પરંતુ નાબાર્ડ, સિડબી, એનએચબીને 50,000 કરોડ રૂપિયાની વધારાની રીફાઈનાન્સિંગની સુવિધા આપવામાં આવી રહી છે.
આ રીતે સરકાર અને રિઝર્વ બેંક દ્વારા અત્યાર સુધીમાં લગભગ 6.44 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. હવે વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયામાંથી માત્ર 13.56 લાખ કરોડના પેકેજની ઘોષણા બાકી છે, જે સરકાર અનેક ટુકડાઓમાં કરી શકે છે.