પીએમ મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનારા IAS અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે પૂર્વ ચૂંટણી અધિકારી ડોક્ટર એસ.વાય. કુરેશીએ અધિકારી વિરૂ્દ્ધની કાર્યવાહીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં કહ્યું કે, આપણે બંધારણીય સંસ્થાઓની છબિ સુધરાવાની તક ગુમાવી દીધી.
ઓડિશામાં પીએમ મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનારા IAS અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે પૂર્વ ચૂંટણી અધિકારી ડોક્ટર એસ.વાય. કુરેશીએ અધિકારી વિરૂ્દ્ધની કાર્યવાહીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં કહ્યું કે, આપણે બંધારણીય સંસ્થાઓની છબિ સુધરાવાની તક ગુમાવી દીધી. ઓડિશામાં પીએમ મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનારા અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા તે માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં પણ આપણે ચૂંટણી પંચ અને વડાપ્રધાન જેવા બંધારણયી સંસ્થાઓની છબીને સુધારવાની તક ગુમવી દીધી છે.
કુરેશીએ કહ્યું કે બંને સંસ્થાઓની જનતા પ્રત્યે જવાબદારી છે. પીએમ મોદી સતત ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે અને ચૂંટણી પંચ પણ તેને નજર અંદાજ કરે છે. કાયદો તમામ માટે સરખો હોય છે અને તમામને લાગુ પડે છે, ભલે પછી તે પ્રધાનમંત્રી હોય કે પછી સામાન્ય નાગરિક. જો હેલિકોપ્ટરની તપાસ કરવાના મામલે કાર્યવાહી કરવામાં ના આવી હોત તો તેનાથી ચૂંટણી પંચ અને પ્રધાનમંત્રી જેવી સંસ્થાઓની થઈ રહેલી નિંદા પણ રોકાઈ જતી. પંરતુ દુર્ભાગ્યપૂર્ણ એવું બન્યુ નહીં. હવે બંને સંસ્થાઓની નિંદા કરવામાં આવી રહી છે.
પૂર્વ ચૂંટણી આયુક્ત શાહબુદ્દીન યાકૂબ કુરૈશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનાર અધિકારીને આયોગ દ્વારા સસ્પેન્ડ કરી દેવાને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યું છે. પીએમ મોદી અને ચૂંટણી આયોગ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે બંને પાસે પોતાની છબી સુધારવાની એક તક હતી, જેને ગુમાવી દીધી. આ અંગેની પ્રતિક્રિયા કુરેશીએ પોતાના ટવિટર માધ્યમથી આપી છે.