પીએમ મોદી કાશીમાં આજે પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા. સૌથી પહેલા પીએમ મોદી કાળ ભૈરવ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યાંથી ક્રૂઝમાં સવાર થઈને મહાદેવનાં મંદિરે પહોંચ્યા હતા. જોકે આજે વારાણસીનાં રસ્તાઓ પર જાણે શિવભક્તોની માનવમેદની ઉમટી પડી હતી. પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી કાશી પહોંચ્યા હતા અને મહાદેવનાં ભવ્ય મંદિરને જોઈને અભિભૂત થઈ ગયેલ યુપીવાસીઓ પણ પીએમ મોદીનો જાણે આભાર માનવા માટે ઉમટી પડ્યા હતા.
કમાન્ડોનાં પરસેવા છૂટી ગયા, પીએમ મોદીએ રોકી દીધો કાફલો
આજે પીએમ મોદીનો કાફલો જ્યારે કાશીની ગળીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ ભારે ભીડમાં એક વ્યક્તિ પાઘડી અને ખેસ લઈને પીએમ મોદી તરફ દોડી જાય છે. વ્યક્તિને જોતાં જ કમાન્ડો હરકતમાં આવી જાય છે અને લોકોને કાબૂ કરવા માટે પકડે છે, જોકે પીએમ મોદી પોતાની કારને ત્યાં જ ઊભી રાખી દે છે. અને પછી દરવાજો ખોલીને ભેટ સ્વીકાર કરે છે. પીએમ મોદી દ્વારા આ પ્રકારે સુરક્ષા કવચ તોડવાને લઈને લોકો ચિચિયારીઓ પાડીને સ્વાગત કરે છે, જોકે સુરક્ષાકર્મીઓના ચોક્કસ પરસેવા છૂટી જાય છે.
#WATCH | Locals gave a rousing welcome to PM Narendra Modi, showering flower petals and raising slogans of 'Modi, Modi' & 'Har Har Mahadev' in his parliamentary constituency Varanasi
The PM is on a two-day visit to the city to inaugurate Kashi Vishwanath Corridor project pic.twitter.com/155VrYjEpT
લોકો પીએમ મોદીને જોવા ઉમટ્યા
પીએમ મોદી કાળભૈરવ મંદિરમાં દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા અને પીએમ મોદીએ હાથ હલાવીને બધાનું અભિવાદન ઝીલ્યું હતું.
કાળભૈરવનાં દર્શન
કહેવાય છે કે મહાદેવની નગરીમાં પ્રવેશ પણ કરવો હોય તો કાશીનાં કોટવાલ એટલે કે કાળભૈરવની મંજૂરી લેવી જ પડે, એટલે જ આજે પીએમ મોદીએ સૌથી પહેલા કાળભૈરવની પૂજા અને અર્ચના કરી છે.
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, દેશભરમાં શિવભક્તોનાં દિલ ખુશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ લોકાર્પણની રાહ ઘણા મહાદેવ ભક્તો વર્ષોથી જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી વારાણસીનાં સાસંદ બન્યા પછી આખા જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે પરંતુ ભગવાન ભોળાનાથનાં મંદિરનું રિનોવેશન સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. આખી કાશી નગરીની કાયાપલટ કરવામાં આવી છે અને હવે બસ આવતીકાલે લોકાર્પણ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આજે પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે અનેક સંતો અને મહંતો કાર્યક્રમમાં હાજર રહેવાના છે, 12 જ્યોતિર્લિંગ અને 51 સિદ્ધપીઠોનાં પૂજારીઓની ઉપસ્થિતિમાં પીએમ મોદીના હસ્તે આવતીકાલે કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ 2019માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તે બાદ આજનું કાશી વિશ્વનાથ મંદિર તદ્દન અલગ જ લાગી રહ્યું છે. હવે ગંગાઘાટ સીધા જ પરમેશ્વર મહાદેવના દર્શન થઈ શકશે, આખા કોરિડોરમાં 125 નાના મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરનાં કાર્યપાલક સમિતિનાં અધ્યક્ષ દિપક અગ્રવાલે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, સદીઓ પછી કાશી વિશ્વનાથ મંદિરણો જીર્ણોદ્ધાર થયો છે. લોકો સૈકાઓ સુધી આ કામને યાદ કરશે.
ઔરંગઝેબનાં સિપાહીઓ નંદીની મૂર્તિ તોડી નહોતા શક્યા
1669માં ઔરંગઝેબનાં આદેશ પર મુઘલ સેનાએ તોડી પાડ્યું હતું ભોળાનાથનું આ મંદિર, જોકે મહાદેવનાં સ્વયંભૂ જ્યોતિર્લિંગને કોઈ નુકસાન ન થાય તે માટે તે સમયના મહંત શિવલિંગ લઈને જ્ઞાનવાપી કુંડમાં કૂદી ગયા હતા. મુઘલ સસેનાએ મંદિરનાં નંદીની મૂર્તિ તોડવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ તોડી નહોતા શક્યા.