31 ઓક્ટોબરે PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાંછે. તેઓ આ પ્રવાસ દરમિયાન મહત્વપૂર્ણ 12 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
PM મોદીના આગમનની તૈયારી
31 ઓક્ટોબરે 12 પ્રોજેક્ટનું કરશે ઉદ્ધઘાટન
વિશ્વ આરોગ્ય ઔષધીય વનનું લોકાર્પણ કરશે
31 ઓક્ટોમ્બર ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવાના છે ત્યારે સ્ટેચ્યુ પાસે બનાવેલ 12 પ્રોજકટોનું ઉદ્ધઘાટન કરવાના છે જેમાં ખાસ 31 તારીખે સવારે 6 કલાકે આરોગ્ય વનનું પણ ઉદ્ધઘાટન કરવાના છે.
જોકે આ આરોગ્ય વન 17 એકર જમીન માં ફેલાયેલા વિશ્વ આરોગ્ય ઔષધીય વન ખાતે આવેલ યોગ ગાર્ડન માં પ્રધાન મંત્રી નરેદ્ર મોદી આવશે અને વિધિવત લોકાર્પણ કરી ને 20 મિનિટ યોગ અને પ્રાણાયામ કરશે ત્યારે અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી યોગ ને ખાસ પ્રાધાન્ય આપે છે અને આ વિશ્વ આરોગ્ય ઔષધીય વન તેમનો ડ્રિમ પ્રોજેક્ટ છે ત્યારે અહીંયા આયુર્વેદિક 1000 થી વધારે વિવિધ છોડ ઉગાડવામાં આવ્યા છે ત્યારે અહીંયા પ્રવસીઓને સૌથી અધૂ ઓક્સિજન મળે એવી વ્યવસ્થા છે અને પ્રવાસીઓ રાત્રીના રોકાણ કરે તો આ વિશ્વ આરોગ્ય ઔષધીય વનમાં આવીને યોગ પ્રાણાયામ કરે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.