મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે આવતી કાલે 2જી ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના પ્રવાસે આવી રહ્યાં છે.
મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે
રિવરફ્રન્ટ ખાતે સરપંચ સંમેનલનમાં ભાગ લેશે, 20000 સરપંચ ભાગ લેશે તેવી સંભાવના
GMDC ગ્રાઉન્ડમાં ગરબામાં ઉપસ્થિત રહેશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોના ગામોનાં 20 હજારથી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં તેઓ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત જાહેર કરશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવાની સમગ્ર દેશને અપીલ કરશે.
સાબરમતી આશ્રમની લેશે મુલાકાત
સૌ પ્રથમ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે. ત્યાર બાદ ચરખા ગેલેરીની મુલાકાત લેશે અને જે બાળકો આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેમની સાથે બેથી ત્રણ મિનિટ વાત કરશે. ત્યાર બાદ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજ સાથે બાપુની તસવીરને સુતરની આંટી પહેરાવશે.
રિવરફ્રન્ટ પર ઉજવણી માટે પહોંચશે
રિવરફ્રન્ટ ઉપર ઉજવણી માટે પહોંચશે. સરપંચ સંમેલનમાં ગુજરાતના 10,000 સરપંચ તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 10000 સરપંચ મળી કુલ 20000 સરપંચ ભાગ લેશે તેવી સંભાવના છે
GMDC ગ્રાઉન્ડમાં ગરબામાં ઉપસ્થિત રહેશે
GMDC ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અને GMDC ગ્રાઉન્ડમાં મા અંબાની નવરાત્રીની આરતીમાં ભાગ લેશે. વડાપ્રધાન ગરબામાં ઉપસ્થિત રહે એ પહેલા જ તહેસનહેસ થઈ ગયેલા GMDC ગ્રાઉન્ડને ફરીથી શણગારાઈ રહ્યુ છે.
શું છે આવતીકાલનું વડાપ્રધાનનું શેડ્યુલ
આવતીકાલે સાંજે 6:00 વાગ્યે PM મોદીનું એરપોર્ટ પર આગમન થશે
સાંજે 6:20 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે
સાંજે 6:50 કલાકે PM મોદી રિવરફ્રન્ટ પર ઉજવણી માટે પહોંચશે
રાત્રે 8:40 કલાકે PM મોદી GMDC ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવમાં જશે ઉપસ્થિત રહેશે
GMDC ગ્રાઉન્ડમાં PM મોદી નવરાત્રીની આરતીમાં ભાગ લેશે
રાત્રે 9:30 કલાકે દિલ્લી જવા માટે રવાના થશે મોદી