ગુજરાતમાં આજે સવારના પહોરમામ માઠા સમાચાર સામે આવ્યા હતા. બેકાબૂ બનેલા ડમ્પર ચાલકે 15 શ્રમિકોને કચડી માર્યા હતા. આ ઘટનાને પગલે PM મોદીએ દુખ વ્યક્ત કર્યું હતુ અને સહાયની પણ જાહેરાત કરી હતી. Cm રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી હતી.
સુરતમાં ગોઝારો અકસ્માત
બેકાબૂ બનેલા ડમ્પરચાલકના કારણે 15 શ્રમિકોના મોત
PM મોદીએ શ્રમિકોના મૃત્યુ પર વ્યક્ત કર્યુ દુ:ખ
સુરતના માંડવી રોડ પર થયેલા અકસ્માતનો મામલો રાષ્ટ્રીય લેવલે ગાજ્યો છે. સમગ્ર ઘટનાની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્તોનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવી પણ જાહેરાત કરી છે.
Pm મોદીએ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs. 50,000 each would be given to those injured.
કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય જાહેર કરી છે.
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs. 50,000 each would be given to those injured.
આ ગોઝારી અક્સમાતના CCTV સામે આવ્યા છે. જેમાં કરૂણ દ્રશ્યો સર્જાયા છે. આ ઘટનાને પગલે તપાસનો ધમધમાટ વધી ગયો છે અને FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી.
આ અંગેની પોલીસ અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ડમ્પરચાલક અને કલીનર સહિત 4 લોકોને ઇજા પહોંચી છે.
ડમ્પરચાલકની અડફેટમાં આવેલા ઇજાગ્રસ્તોને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે આ શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે.
પ્રાપ્ત મળતી પ્રાથમિક જાણકારી મુજબ આ તમામ શ્રમિકો રાજસ્થાનના કુશલગઢના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.