એડમિરલ રામદાસે સ્પષ્ટ કર્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ત્યારે અધિકારીક પ્રવાસે લક્ષદ્વીપ ગયા હતા. તેમના અંગત ઉપયોગ માટે કોઇ જહાજનો ઉપયોગ કર્યો ન હતો.
લોકસભા ચૂંટણીમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર યથાવત છે. બુધવારે તેમણે એક મોટો આરોપ લગાવતા કહ્યું કે જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા તો ગાંધી પરિવાર યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટનો ઉપયોગ ટેક્સી તરીકે કરતા હતા. હવે તેમના આ આરોપ પર એડમિરલ રામદાસે કહ્યું કે રાજીવ ગાંધીએ ક્યારેય પણ આઇએનએસ વિરાટ પર રજાઓ નથી માણી.
જોકે ભારતીય નૌસેનાના પૂર્વ ચીફ સહિત ચાર પૂર્વ અધિકારીઓએ આ દાવો ફગાવ્યો છે. તેમણે સ્પષ્ટ કરતા કહ્યું કે રાજીવ તે દરમિયાન અધિકારીક પ્રવાસે હતા અને તેમની સાથે કોઇ વિદેશી અને મિત્ર ન હતા.
Press Statement by Former Chief of Naval Staff, Admiral L Ramdas (retd), unequivocally stating that Modi's statements against Former PM Shri Rajiv Gandhi are lies. #SabseBadaJhootaModipic.twitter.com/OqEDvdpr7x
પૂર્વ કમાન્ડિંગ ઓફિસર વિનોદ પસરીયાએ કહ્યું કે રાજીવ ત્યારે એક અધિકારીક પ્રવાસે ગયા હતા અને તેઓ કોઇ પિકનિક પર નહોતા ગયા.
લક્ષદ્વીપ વિકાસ માટે બેઠક બોલાવી હતીઃ પૂર્વ પ્રશાસક
જ્યાં તેઓ રાષ્ટ્રીય રમતોના વિજેતાઓને પુરસ્કાર આપવા માટે મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. વધુમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ત્યાંથી અધિકારીક પ્રવાસે લક્ષદ્વીપ જવાનું હતું જ્યાં તેમણે લક્ષદ્વીપ વિકાસ સમિતીની બેઠકમાં ભાગ લેવાનો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદીએ રેલીને સંબોધન કર્યુ હતું. ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસ પરિવાર અને રાજીવ ગાંધી પર ફરી એક વાર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, શું તમે સાંભળ્યુ છે કે કોઈ પોતાના પરિવાર સાથે યુદ્ધજહાજથી રજાઓ ગાળવા ગયા હોય. તમે આ સવાલથી હેરાન ના થાવ પણ આવું આપણા દેશમાં જ થયું છે. દેશની રક્ષા કરનારાઓને પોતાની જાગીર કોણ સમજી રહ્યા છે. એ પણ આજે હું દિલ્હીની ધરતીથી તેમની આંખોમાં આંખો મિલાવીને દેશ અને દિલ્હીની જનતાને બતાવવા માગીશ. કોંગ્રેસના નામદાર પરિવારે આઈ.એન.એસ. વિરાટનો વ્યક્તિગત ટેક્સી તરીકે ઉપયોગ કરી તેનું અપમાન કર્યું હતુ. આ વાત ત્યારથી છે કે જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને 10 દિવસની રજાઓ ગાળવા ગયા હતા.