પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મહાબલિપુરમમાં થયેલ મુલાકાતને લઇને વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે. વિજય ગોખલેએ કહ્યું કે બન્ને નેતા અંદાજિત 5 કલાક સાથે રહ્યા અને વાતચીત કરી. તેમણે કહ્યું કે બન્ને વચ્ચે વધુ સમય અંગતમાં વાત થઇ.
વેપારથી લઇને આતંકવાદ સુધી વાતચીત
શી જિનપિંગે પણ શાનદાર સ્વાગત અને તૈયારીના વખાણ કર્યા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે શુક્રવારે અંદાજિત 5 કલાક સુધી આપસી વાતચીત થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાબલિપુરમમાં શાનદાર તૈયારી માટે તમિલનાડુ સરકારનો આભાર માન્યો.
Foreign Secretary Vijay Gokhale: There has been nearly 5 hours of quality time & discussion that Prime Minister Narendra Modi & President Xi Jinping of China have spent together. Most of it was one to one. pic.twitter.com/AhiVINWHoO
વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે પીએમ મોદી સિવાય શી જિનપિંગે પણ શાનદાર સ્વાગત અને તૈયારીના વખાણ કર્યા. તેમણે ભવ્ય વ્યવસ્થા માટે રાજ્ય સરકારના વખાણ કર્યા.
રાષ્ટ્રપતિ શી જિનપિંગ સ્વાગતથી અભિભૂત થઇ ગયા. વિદેશ સચિવે જણાવ્યું કે બન્ને દેશોમાં અંગત સંબંધ, આતંકવાદ અને વેપાર જેવા મુ્દાઓ પર ચર્ચા થઇ.
વિદેશ સચિવે વધુમાં કહ્યું કે, પીએમ મોદી અને જિનપિંગમાં આતંકવાદ પર વાત થઇ. બન્ને આતંકવાદ અને કટ્ટરવાદ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે બન્ને નેતાઓ વચ્ચે સંબંધો, વેપાર અને રોકાણ પર ચર્ચા થઇ. વિદેશ સચિવે કહ્યું કે ભારતમાં મહેમાનગતિથી રાષ્ટ્રપતિ જિનપિંગ ઘણા ખુશ નજરે આવ્યા.