પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે મોટી બેઠક કરીને કેબિનેટના મંત્રીઓને તેમના વિસ્તારના લોકોની સાથે સંપર્કમાં રહીને તેમને મદદ કરવાનો આદેશ આપ્યો.
પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે મોટી બેઠક કરી
કેબિનેટના મંત્રીઓ બેઠકમાં રહ્યાં હાજર
મંત્રીઓને તેમના વિસ્તારના લોકોની સાથે સંપર્કમાં રહેવાનો આદેશ
મંત્રીઓ તેમના વિસ્તારના લોકોની સહાય કરે-પીએમ મોદી
શુક્રવારે પ્રધાનમંત્રી મોદીએ કોરોનાના મુદ્દે ચર્ચા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં કેબિનેટના મંત્રીઓએ ભાગ લીધો હતો.
સરકારના તમામ વિભાગો એકજૂટ રહીને ઝડપથી કામ કરી રહ્યાં-પીએમ મોદી
બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશમાં કોરોનાની બગડતી જતી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારના તમામ વિભાગો એકજૂટ રહીને ઝડપથી કામ કરી રહ્યાં છે.બેઠકમાં છેલ્લા 14 મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કરવામા આવેલા પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી.
રોજ નોંધાતા આંકડા 4 લાખને પહોંચવા આવ્યા
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. દર રોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોજ નોંધાતા આંકડા 4 લાખને પહોંચવા આવ્યા છે. દેશમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના સંક્રમણના 386,888 મામલા નોંધાયા છે. જે બાદ સંક્રમણના કુલ કેસ 1,87,54,984 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે.
મંત્રાલયની વેબસાઈટના જણાવ્યાનુસાર ગુરુવારે એક દિવસમાં 3501 લોકોના મોત થયા બાદ આ ઘાતક બિમારીના મૃતકોની સંખ્યા 2, 08, 313 થઈ ગઈ છે. જો કે બુધવારના આંકડાની સરખામણી થોડી રાહત જણાઈ રહી છે. બુધવારે 24 કલાક દરમિયાન 3647 મોત નાંધાયા હતા. જે આજે આંકડા ઘટીને 3501 પર આવી ગયા છે.
મોતનો દર ઘટ્યો
સતત મામલા વધવાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 31,64,825 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ મામલાના 16.79 ટકા છે, જ્યારે કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 82.10 ટકા થઈ ગયો છે. આંકડામાં જણાવ્યાનુસાર બિમારીમાંથી સાજા થનારાની સંખ્યા 1,53,73,765 થઈ ગઈ છે. સંક્રમણથી મોતનો દર ઘટીને 1.11 ટકા થઈ ગઈ છે.
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા ગત વર્ષ ઓગસ્ટે 20 લાખને પાર થઈ ગઈ હતી. તે કોરોનાના દર્દીની સંખ્યા 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર થઈ ગઈ છે. આ બાદ 28 સપ્ટેમ્બરે કોરોનાના મામલા 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ, 19 ડિસેમ્બરે 1 કરોડ અને 19 એપ્રિલના આ મામલા 1.5 કરોડથી વધારે થઈ ગયા હતા.
સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા
સૌથી વધારે મોત 771 મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 395, ઉત્તર પ્રદેશમાં 295, છત્તીસગઢમાં 251, ગુજરાતમાં 180, કર્ણાટકમાં 270, ઝારખંડમાં 145, પંજાબમાં 137, રાજસ્થાનમાં 158, ઉત્તરાખંડમાં 85 અને મધ્ય પ્રદેશમાં 95 લોકોના મોત થયા છે. દેશેમાં ક્યાર સુધીમાં કુલ 208313 મોત થયા છે. જેમાં સૌથી વધારે મોત 67985 મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 15,306, કર્ણાટકમાં 13, 933, તમિલનાડુમાં 12, 238, ઉત્તર પ્રદેશમાં 11248, પશ્ચિમ બંગાળમાં 8909, પંજાબ અને છત્તીસગઢમાં 8312 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે 70 ટકાથી વધારે મોત અન્ય ગંભીર બિમારીના કારણે થઈ છે.