પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનના ઓડિટોરીયમમાં કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરીને જુનિયર મંત્રીઓને કેટલાક આદેશ આપ્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં મોટી બેઠક યોજી PM મોદીએ
જુનિયર મંત્રીઓને કેટલાક આદેશ આપ્યા
મંત્રીઓને નીતિ નિર્માણ અને મંત્રીસ્તરીય કાર્યોમાં ભાગ લેવાનો આદેશ આપ્યો
સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં મંત્રીઓને સરકારની નીતિઓ જનતા સુધી લઈ જવાનું જણાવ્યું હતું. તેની સાથે જુનિયર મંત્રીઓને નીતિ નિર્માણ અને મંત્રીસ્તરીય કાર્યોમાં સક્રિય રીતે ભાગ લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. મોદીએ મંત્રીઓને તેમના કામકાજ સંબંધિત સવાલ જવાબ કર્યાં હોવાનું પણ કહેવાય છે.
યુપીમાં અલીગઢમાં રાજા મહિન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીના શિલાન્યાસ કર્યો
યુપીના અલીગઢમાં રાજા મહિન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ બાળપણનો કિસ્સો ટાંકીને તેમના પિતા વિશે વાત કરી. અલીગઢ સાથે સંબંધ ધરાવતી પોતાના બાળપણની એક કહાની વર્ણવતા મોદીએ કહ્યું કે અલીગઢના એક મુસ્લિમ કારોબારી તેમના પિતા સાથે ગાઢ દોસ્તી ધરાવતા હતા અને તે કારોબારી અલીગઢના જ હતા.
મોદીએ કહ્યું કે એક મુસ્લિમ શખ્સ હતા જે દર ત્રણ વર્ષે અમારા ગામમાં આવતા. તેઓ અમારા વિસ્તારમાં તાળા વેચવા આવતા. મારા પિતા સાથે તેમની સારી દોસ્તી હતી. તેમને તાળા વેચીને દિવસના જે પણ પૈસા મળતા તેઓ પિતાને સોંપી દેતા હતા. ત્યાર તેઓ જ્યારે પણ ગામમાં જતા ત્યારે પિતા પાસેથી પૈસા લઈ જતા. અમે બાળપણથી યુપીના બે શહેરોથી પરિચિત છીએ. આંખમાં જ્યારે પણ બીમારી થતી ત્યારે સીતાપુર જતા.