દિલ્હીમાં આજે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આજે 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી મળી શકે છે. આ વર્ષે બજેટમાં નાણા મંત્રી સીતારમણે નવી શિક્ષણ નીતિનું એલાન કર્યુ હતુ આ નવી શિક્ષણ નીતિ હેઠળ શિક્ષણનું મહત્વ બદલાઈ જશે. આનાથી ન ફક્ત યુવાનોને શિક્ષણનો અવસર મળશે બલ્કે રોજગારી પણ મળશે.
રાષ્ટ્રીય પોલીસ યુનિ. અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિ.નો પ્રસ્તાવ
શિક્ષણ નીતિનું એલાન કરતા સરકારે કહ્યું હતુંકે શિક્ષણ ક્ષેત્રમાં એક્સટર્નલ કમર્શિયલ બોરોવિંગ અને વિદેશી રોકાણ(એફડીઆઈ)ને લઈને જરુરી પગલા ભરવામાં આવશે. સરકાર યુવા એન્જિનિયરોને ઈન્ટર્નશીપનો અવસર આપવાના હેતુથી શહેરી સંસ્થાઓને એક કાર્યક્રમ આપવાની યોજના છે. રાષ્ટ્રીય પોલીસ યુનિ. અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિ.નો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે 100 યુનિને ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમની મંજૂરી આપવામાં આવશે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે અમારી નવી શિક્ષણ નીતિ ઘણી બાબતોનું સમાધાન કરશે. આ નીતિમાં સરકાર હાયર એજ્યુકેશનને પ્રોત્સાહન આપી રહી છે. જેથી યુવાનોને શિક્ષણ મેળવવું સરળ બનશે.
ઉલ્લેખનીય છે કે આજે પ્રધાનમંત્રી મોદી સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બડોદા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક,HDFC LTD, બજાજ ફાઇનાન્સ સહિતની જાણીતી બેંકોના વડા સાથે મુલાકાત યોજીને અર્થ વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરી શકે છે. રાજકીય પાવરથી ગુજરાતના આ મંત્રીના પરિવારના બિઝનેસમાં કરોડોનો ‘વિકાસ’સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસ સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સ સેક્રેટરી પણ આ બેઠકમાં ભાગ લઇ શકે છે.