વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે રાષ્ટ્રપતિભવન ખાતે નીતિ આયોગની બેઠક પાંચમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દુષ્કાળની પરિસ્થિતિ, કૃષિ ક્ષેત્રમાં સંકટ, વરસાદનું જળ સંચયન, ખરીફ પાકની તૈયારીઓના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં કૃષિ ક્ષેત્રે ફેરફાર અને સુરક્ષા સંબંધી મુદ્દા પણ સામેલ રહેશે. આ બેઠકમાં વિશેષ રીતે નક્સલ પ્રભાવિત જિલ્લા વર વિચાર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રીઓ અને સંઘ પ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તેમજ સરકારના કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. નવી સરકારની આ પ્રથમ નીતિ આયોગની બેઠક હશે. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સામેલ થવાને લઇને ઇનકાર કરી દીધો છે.
આમ નવી સરકારની રચના બાદ આજરોજ નીતિ આયોગની પ્રથમ બેઠક મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આ બેઠક મળશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે મળનારી નીતિ આયોગની બેઠકમાં ગૃહમંત્રી, રક્ષામંત્રી, નાણામંત્રી, કૃષિમંત્રી, ગ્રામિણ વિકાસ અને પંચાયત મંત્રી, NSA, ગ્રાહકોની બાબતોના મંત્રી, જળશક્તિ મંત્રી પણ બેઠકમાં હાજર રહેશે.
આ ઉપરાંત તમામ રાજ્યો અને સંઘપ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યપાલો પણ બેઠકમાં ભાગ લેશે. નીતિ આયોગના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં ગત બેઠકમાં નક્કી કરાયેલી મુદ્દાઓની અમલવારીની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી વિકાસલક્ષી કામ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પીએમની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચાર બેઠક યોજાઇ ગઇ છે. આ પરિષદની પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી, 2015ના રોજ યોજાઇ હતી જેમાં વડાપ્રધાને નીતિય આયોગ માટે પ્રમુખ કાર્યો નક્કી કર્યા હતા. જ્યારે બીજી બેઠક 15 જૂલાઇ, 2015 રોજ મળી હતી જેમાં મુખ્યમંત્રીઓના ત્રણ ઉપસમૂહ અને બે કાર્યબળની પ્રગતિની સમીક્ષા કરાઇ હતી.
નીતિ આયોગની ત્રીજી બેઠક 23, એપ્રિલ 2017ના રોજ મળી હતી જેમાં પીએમ મોદીએ લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણી એકસાથે યોજાવાને લઇને ચર્ચા કરી હતી. જ્યારે ચોથી બેઠક 17, જૂન 2018ના રોજ બોલાવાઇ હતી જેમાં ખેડૂતોની આવક બે ગણી કરવા અને સરકારની પ્રમુખ યોજનાઓમાં થયેલી પ્રગતિને લઇને વિચારણા કરવામાં આવી હતી.