ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારા સહકારથી સમૃદ્ધિ સુધીના સંમેલનનું આયોજન કરાવવામાં આવ્યું છે. જેમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે.
PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાશે
ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં PM મોદી લેશે ભાગ
રાજ્યની 83 હજાર મંડળીના સભ્યો કાર્યક્રમમાં ભાગ લેશે
સહકાર ક્ષેત્રે PM મોદી મહત્વની જાહેરાત કરી શકે છે
સહકાર ક્ષેત્રે PM મોદી કરી શકે છે મહત્વની જાહેરાત
આજે બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો આ સેમિનારમાં રાજ્યની 83 હજાર મંડળીના સભ્યો કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આજના આ સેમિનારમાં સહકાર ક્ષેત્રે PM મોદી મહત્વની જાહેરાત કરી શકે છે. તેમજ ખાતરમાં ખેડૂતોને અપાતી સબસિડી બાબતે તેમજ સહકારી મંડળીઓના અધુનિકરણ બાબતે પણ વાતો કરી શકે છે.
PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાશે
ઉલલ્લેખનીય છે કે, PM મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આજે સવારે રાજકોટ ખાતે પોહોંચી ગયાં હતાં. જ્યાં તેઓએ આટકોટ ખાતે કે.ડી.પી. હોસ્પિટલ લોકાર્પણ પ્રસંગે તેઓએ જણાવ્યું કે સમાજમાં એવી સ્વસ્થતા માટેનું વાતાવરણ બનાવીએ કે આ હોસ્પિટલ ખાલીને ખાલી જ રહે. સૌ કોઇ સ્વસ્થ રહે તો કોઇએ આવવુ જ ન પડે. અને જો હોસ્પિટલમાં આવે તો પહેલા જ કરતા તાજો તમતમતો થઇને પાછો જાય તેવુ આ કાર્ય આ હોસ્પિટલમાં થવાનું છે તેમ જણાવ્યું હતું.
હોસ્પિટલમાં કેવી છે સુવિધા ?
વાત કરીએ આટકોટની કે.પી.ડી હોસ્પિટલની તો હોસ્પિટલમાં રૂપિયા 40 કરોડનાં ખર્ચે કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 200 બેડની આ હોસ્પિટલમાં રૂપિયા 14 કરોડથી વધુના આધુનિક મશીનો સહિતની એઇમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. અહીં સારવાર માટેનો ખર્ચ ખૂબ નજીવો રખાયો છે. જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250 અને જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.આ ઉપરાંત આ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે.