સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું આવતીકાલે પીએમ મોદી સંસદના બંને ગૃહને સંબોધિત કરશે અને કોરોના મુદ્દે વાત કરશે.
સંસદના બન્ને ગૃહને સંબોધશે PM મોદી
બન્ને ગૃહના નેતાઓને સંબોધશે PM
કોરોના મુદ્દે PM મોદી કરી શકે છે માહિતગાર
કોરોનાની સ્થિતિ પર એક પ્રેઝન્ટેશન થઈ શકે છે રજૂ
કોરોના મહામારી મામલે સરકાર પર વિપક્ષી પાર્ટીઓ હાવી છે.. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના મામલે સરકારની કામગીરીની પ્રશંસા કરતા આવ્યા છે. આ જ કડીમાં PM નરેન્દ્ર મોદી 20 જુલાઈએ સંસદના બન્ને ગૃહમાં તમામ પક્ષના નેતાઓને સંબોધશે. જેમાં કોરોનાની સ્થિતિ પર એક પ્રેઝન્ટેશન મુકી શકે છે.
PM બન્ને ગૃહના સભ્યોને 20 જુલાઈએ સંબોધિત કરશે
બન્ને પક્ષના નેતાઓ સાથે ચર્ચા બાદ પ્રેઝન્ટેશનનો સમય નક્કી કરવામાં આવશે. સંસદના ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સરકારે તમામ મુદ્દે ચર્ચાની પણ તૈયારી દર્શાવી છે. સાથે જ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે PM બન્ને ગૃહના સભ્યોને 20 જુલાઈએ સંબોધિત કરશે અને મહામારી પર ચર્ચા કરશે.
વિપક્ષ આ મુદ્દાઓ પર કરી શકે છે રણનીતિ
બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ સરકારનો ઘેરાવો કરવાની રણનીતિ ઘડી રહી છે . પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, કોરોના સમયે અવ્યવસ્થા અને વેક્સિનની અછત મામલે વિપક્ષી પાર્ટીઓ સરકારનો ઘેરાવો કરી શકે છે.
આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું ચોમાસુ સત્ર
સંસદમાં હોબાળાના અણસાર સાથે 31 બિલ લાવવાની તૈયારી પણ જણાઈ રહી છે. આજથી શરૂ થનારું સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં વિપક્ષ અનેક મોટા મુદ્દાઓને લઈને સરકાર સાથે ચર્ચા કરશે.