રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30મી સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદી રાજકોટમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.
જે બાદ ચૌધરી સ્કૂલમાં તેઓ જાહેર સભાને સંબોધન કરશે. મહત્વનું છે કે પ્રધાનમંત્રીના આગમન પૂર્વે ગાંધી મ્યુઝિયમને રોશનીથી શણગારાયું છે. તો પોલીસ સહિત અધિકારીઓને વિશેષ કામની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે PM મોદીની સભાને લઈ ને વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ અને અન્ય કર્મચારીને આજે ડ્યૂટીની ફાળવણી કરવામાં આવી છે.
એસપીજી દ્વારા પી.એમ મોદી સુરક્ષાને લઈને ચૌધરી હાઈસ્કૂલમાં ડોમ અને મહાત્મા મ્યુઝિયમનો કબ્જો લઇ લેવામાં આવ્યો છે. તો સાથે સાથે ગાંધી મ્યુઝિયમને આધુનિક રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
આપને જણાવી દઇએ કે રાજકોટ શહેરની મધ્યમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ગાંધી અનુભૂતિ કેન્દ્રનું કામકાજ હાલ અંતિમ તબક્કામાં છે. જ્યાં બાપુનો અમુલ્ય વારસાને લોકોનો નિહાળી શકે અને તેમના સિદ્ધાંતોની જાણકારી મેળવી શકે તે માટે રાજકોટ મહાનગરપાલીકાએ ગાંધીજી જે સ્કુલમાં અભ્યાસ કરતા તેવી આલ્ફ્રેડ હાઈસ્કુલને ગાંધી અનુભૂતી કેન્દ્રમાં વિલીન કરવાની કામગીરી હાથ ધરી છે.
આ સાથે જ લોકોના મનોરંજન માટે અન્ય આયોજનો પણ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્થળને અનૂભૂતિ કેન્દ્ર નામ આપીને આગામી 2 ઓક્ટોબરના રોજ ગાંધીવાદીઓને સમર્પિત કરવાનું નક્કી કરતા તેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તે માટે એક આમંત્રણ દેશના PM ને મોકલી આપેલ. આપને જણાવી દઇએ કે આશરે 21 કરોડનાં આ પ્રોજેકટમાં મ્યુઝિયમનાં માધ્યમથી મહાત્મા ગાંધીજીનાં સત્ય હિંસા વિગેરે આદર્શોને વધુને વધુ લોકો સમક્ષ મુકી શકાય.