કોરોના વાયરસ સામેની જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા રાજકીય પક્ષ અને સમાજના દરેક વર્ગને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેને લઇને પીએમ મોદીએ દેશના બધા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી. આ સાથે પીએમ મોદીએ મહત્વના રાજકીય પક્ષના નેતાઓ સાથે વાત કરી છે.
કોરોના વાયરસના સંકટને લઇને PM મોદીની વાતચીત
PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ, PMને કર્યો ફોન
મુલાયમ સિંહ, મમતા બેનર્જી સાથે પણ વાતચીત કરી
પીએમઓના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રવિવારને સૌથી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે વાત કરી. ત્યાર બાદ પીએમ મોદીએ પ્રતિભા પાટિલ સાથે તેમજ પૂર્વ પીએમ મનમોહન સિંઘ અને એસ જી દેવગોડા સાથે પણ વાત કરી.
પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત સમાજવાદી પાર્ટી (SP) ના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ, તૃણમુલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી, બીજુ પટનાયક (BJD) સુપ્રીમો અને ઓડીશાના CM નવીન પટનાયક અને તેલંગાણાના CM કેસીઆર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. પીએમ મોદી અકાળીદળના સીનિયર નેતા પ્રકાશસિંહ બાદલ ની સાથે પણ ફોન પર વાતચીત કરી.
એક પ્રાપ્ત મળતી જાણકારી અનુસાર પીએમ મોદીએ બધા પાસે કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધીમાં ઉઠાવેલા પગલાઓ અંગેની જાણકારી આપી અને પૂછ્યું કે તમારા પાસે કોઇ સુચન હોય તો જણાવજો. છેલ્લા કેટલાક દિવસથી પીએમ મોદી સમાજમાં દરેક અલગ-અલગ કાર્યો સાથે સંકળાયેલા લોકો સાથે સતત મુલાકાત કરી રહ્યાં છે. પીએમ મોદી 8 એપ્રિલના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિપક્ષ દળના નેતાઓ સાથે વાતચીત કરશે.