વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવરાત્રી મહાપર્વની ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી શિવ સ્મરણ કર્યું હતું.તેઓએ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે ટેલિફોનિક વાત કરીને શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાન મોદીએ પાઠવી મહાશિવરાત્રીની શુભેચ્છા
સોમનાથ મંદિર ટ્રસ્ટને ટેલીફોનિક પાઠવી શુભેચ્છા
મહા આરતી અને તૈયારીઓ અંગે પણ કરી પૃચ્છા
આજે શિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે ભગવાન શિવનું સ્મરણ માત્ર જીવનો એકાકાર થવાની પ્રતીતિ કરાવી શકે છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવરાત્રી મહાપર્વની ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી શિવ સ્મરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે ટેલિફોનિક વાત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.સાથોસાથ સોમનાથ મંદિરની વ્યવસ્થા અને મહાશિવરાત્રીના આયોજન અંગે કરી ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે
ભગવાન શિવની પૂજન અર્ચન કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રિ ત્યારે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. શંકર દાદાના દર્શનનો લાભ લેવા માટે શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડશે. વહેલી સવારથી તમામ શિવાલયોમાં શ્રદ્ધુાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે . બીજી તરફ રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે
શી તૈયારીઓ ? કેવી છે વ્યવસ્થા
કોરોનાકાળને કારણે 2 વર્ષ બાદ સોમનાથમાં મહાશિવરાત્રી પર મંદિરમાં પ્રવેશ મળી રહ્યો છે. જેથી શિવરાત્રિ પહેલા જ શિવ ભક્તો સોમનાથ તીર્થમાં ઉમટી રહ્યાં છે. સોમનાથ પરિસરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. બીજી તરફ મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે. સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે.
મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રિને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આજના દિવસે શિવભક્તો સતત દર્શન કરી શકે અને ભક્તોને કોઇ અગવડ ન પડે તે માટે સોમનાથ મંદિરના દ્વારા સળંગ 42 કલાક સુધી ખુલ્લા રહેશે. સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે.