વિશ્વ આરોગ્ય સંસ્થાનું એક માત્ર સેન્ટર સમગ્ર વિશ્વમાં ભારતમાં આપવામાં આવ્યું અને તે પણ ગુજરાતના જામનગરમાં જ શા માટે ? જાણો કારણો
પ્રધાનમંત્રી મોદી જામનગરની મુલાકાતે
જામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે કરી મુલાકાત
પ્રધાનમંત્રી મોદી WHOના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે. ભૂમિપૂજન બાદ 35 એકર જમીનમાં GTMC સેન્ટર બનશે. જે પારંપરિક દવાઓના સંશોધનથી 180 દેશોને લાભ મળશે.ત્યારે જામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદી મુલાકાત કરી હતી. બંને વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો વાગોળી હતી. આપણે જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ શત્રુશેલ્યજીનું મહત્વનું યોગદાન હતું.
આયુર્વેદ યુનિવર્સિટી સાથે રાજવી પરિવારનો જૂનો નાતો
WHOનું એક માત્ર સેન્ટર જામનગરને પ્રાપ્ત થયું છે તેની પાછળના જો કારણો જાણવાનો પ્રયાસ કરીએ તો કંઈક આવા હોઈ શકે.જામનગરમાં ૧૯૬૭ માં ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટીની સ્થાપના થઈ.જામનગરના રાજવી પરિવાર દ્વારા આ યુનિવર્સિટી માટે જગ્યા ફાળવવામાં આવી જે તે સમયમાં જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજી વૈદ્ય હતા.આયુર્વેદીક યુનિવર્સિટીની લાયબ્રેરીની બિલ્ડિંગમાં તેઓ પોતાની ડીસ્પેન્શરી ચલાવતા હતા.તેમના ઉદાર વિચારણા કારણે તેઓએ વિચાર્યું કે આ યુનિવર્સિટી વિશ્વફલક પર ફેલાય અને દરેક બ્રાન્ચના સારા નિષ્ણાંતો આ યુનિવર્સિટી સાથે સંલગ્ન થાય અને આ યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસક્રમ થાય અને એ જ અભ્યાસક્રમની મદદથી જ આપણે આયુર્વેદ અને આપાણી ધરતીના સાયન્સને બીજા સાયન્સ સાથે જોડી શકીએ અને તેને આપણે વધુ ફેલાવી શકીએ તેવા વિચાર સાથે આ યુનિવર્સિટીની શરૂઆત કરાઈ હતી.
જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો. pic.twitter.com/gTnxmcFadp
જે તે સમયના ડોકટર પીએમ મહેતા જેઓ એલોપેથીક સાયન્સના નિષ્ણાત હતા તેઓ પણ આ ટીમમાં સામેલ થયા હતા અને ત્યારબાદ ગુલાબકુંવર બા અને રાજવી પરિવાર દ્વારા સાથે મળી અને આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને વિશ્વની એક માત્ર આયુર્વેદિક યુનિવર્સિટીનો પાયો વર્ષો પહેલા જામનગરમાં નખાયો હતો.ત્યારે આજે તે એક માત્ર કારણ છે કે જ્યારે WHO નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીશીન માટે જામનગરની પસંદગી કરાઇ છે.
રાજવી પરિવારના યોગદાનને પીએમ મોદીએ બિરદાવ્યું
સંજોગોની વાત એ છે કે જામનગરમાં GCET ની જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજીની જે ડિસ્પેન્સરી હતી તેની બાજુમાં જ WHO ને ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવી છે.અને રાજાશાહીના વખતમાં બનેલ આ આયુ્વેદિક યુનિવર્સિટી જેના કારણે WHO એ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીશીન માટે જામનગરની પસંદગી કરી છે. ત્યારે વડાપ્રધાન આ શિલાન્યાસ વિધિ પહેલા જામનગરના રાજવી જામ શત્રુશૈલ્યસિંહજીની પણ મુલાકાત લીધી હતી અને 15 મિનિટ સુધી વાર્તાલાપ કરી આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનને બિરદાવ્યું હતું.